Dahod

સંજેલી: પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈ સજોડે મોતને મીઠુ કર્યું

બે પ્રેમીઓની લાશ મળી આવતા સંજેલી પંથકમાં ચકચાર

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ચમારીયા ગામે ચિબોટા નદી (રાખીયા) પુલ પાસે ઝાડીમાં એક પ્રેમી-પંખીડાઓની લાશ મળી આવતા સંજેલી પંથકમાં ચકચાર મચી હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે બંન્ને મૃતદેહો કબજે કરી તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

સંજેલી તાલુકામાં આવેલ ચમારીયા ગામે સીંગવડના શાશીકપુર ગામે રહેતાં ૨૩ વર્ષિય કિંજલબેન અરવિંદભાઈ બચુભાઈ અને ૨૩ વર્ષિય ગોવિંદભાઈ પર્વતભાઈ વસુનિયાએ ચિબોટા નદીના કાંઠે બે પ્રેમીઓની લાશ અડુસાના ઝાડની ડાળી પર લટકતી હાલતમાં સાડીના છેડાઓથી બંન્ને આ પ્રેમી પંખીડાઓ ગળામાં સાડી બાંધી લટકતી હાલતમાં જાેવા મળી હતી. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો તેમજ ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ બનાવ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જઈ બંન્નેના મૃતદેહનોને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓએ વચ્ચે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Most Popular

To Top