Vadodara

માં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા-નાસ્તાનું વિતરણ…

માં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનગઢ ખાતે આવેલ માં મહોણી માતાજીના મંદિર ખાતે શ્રધ્ધાળુઓ માટે ચ્હા પાણી નાસ્તાના સેવા કેમ્પનું આયોજન કરાયું

પગપાળા યાત્રા એ જતા ભક્તો માટે માં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માં મહોણી માતાજીના દર્શન માટે જતા ભક્તો માટે ગરમા ગરમ ભજીયા, ચા, અને વડોદરા ના પાણી ના સપ્લાયર “માં” ડ્રિંકિંગ વોટર દ્વારા પાણી અને ચા, નાસ્તા ની સેવા કરી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું
દૂર દૂરથી દર શનિવાર રાત્રે ચાલતા આવતા ભાવિ ભક્તો માં મહોણી માતાજીના દર્શન કરવા પગપાળા યાત્રા કરે છે.મોટી સંખ્યામાં યાત્રાળુઓ અનગઢ રોડ ઉપર આખી રાત ભાવિ ભક્તો દ્વારા જય માતાજી ના નાદ સાથે મંદિર તરફ જતા હતાઆ સેવામાં સાથ સહકાર આપનાર દરેક સેવાભાવી ભાઈઓ નો હદય પૂર્વક આભાર કરાયો હતો.

Most Popular

To Top