Vadodara

વડોદરાની અંકોડીયા કેનાલમાં આ શું થઈ રહ્યું છે?


વડોદરા શહેરની અંકોડિયાં કેનાલમાં અવાર નવાર કોઈ ને કોઈ બનાવો બનતા રહે છે. થોડા દિવસ પહેલા આંકોડિયા કેનાલમાં એક યુવાને પડતું મૂક્યું હતું અને મૃત્યુ થયું હતું. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
ગતરાત્રિના શહેર ના લક્ષ્મીપુરા કેનાલમાં બે બાઇક સવાર રેલીંગ તોડીને કેનાલ માં ખાબક્યા હતા.બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.
આ બનાવ અંગે આસપાસ ના લોકોએ અને રાહદારીએ જણાવ્યું હતું કે અચાનક પૂરપાટ ઝડપે આવેલી બાઇક કેનાલની રેલીંગ તોડી કેનાલ માં ખાબકતા બાઇક સવાર બે યુવાનો કેનાલમાં પડ્યા હતા. લોકોએ તરત ફાયબ્રિગેડ અને 108ને ફોન કરતા ૧૦૮ આવી પહોંચી હતી અને ફાયરબ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી હતી . બન્ને યુવાનને કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવાન નો આબાદ બચાવ થયો હતો અને બીજા ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અત્રે સયાજી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.યુવકો કોણ છે અને ક્યાંના રેહવાસી છે એ ની તપાસ ચાલુ છે.

Most Popular

To Top