National

ઝારખંડમાં રેલ્વે પુલ બનાવતા માટી ધસી પડી, 4 મજૂરોનાં મોત

ઝારખંડ(Jharkhand): ઝારખંડના ધનબાદ(Dhanbad)માં એક મોટી દુર્ઘટના થઇ છે. બલિયાપુર વિસ્તારના પ્રધાનખાંતા રેલ્વે સ્ટેશનની દક્ષિણ કેબિન, સિન્દ્રી રેલ્વે(Railway) લાઇન પાસે રેલ અંડરપાસની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ઉપરથી જમીનનો કાટમાળ પડતાં ચાર મજૂરો(worker) દટાયા હતા., જેના કારણે તેઓ મૃત્યુ(Death) પામ્યા હતા. ઘટના બાદ કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાના પગલે બૂમો પાડતા કામદારો અહી-ત્યાં દોડવા લાગ્યા હતા. મોડી રાત સુધી કાટમાળમાં દટાયેલા મજૂરોને બહાર કાઢી શકાયા ન હતા, કેટલાક મજૂરોના માથા અને હાથ માટીમાં દટાયેલા જોવા મળ્યા હતા.

  • ઝારખંડના ધનબાદમાં મોટી દુર્ઘટના, રેલ્વે પુલ બનાવતા મજૂરો માટીમાં દટાયા
  • ચાર મજૂરોના મોતની થયા, પરિવારજનોની વળતરની માંગ
  • રેલ્વે અધિકારી કે પોલીસ ઘટના સ્થળે ન આવતા લોકોમાં રોષ

માટીમાં દટાયેલા મજૂરોમાં નિરંજન મહતો (45), પપ્પુ કુમાર મહતો (40), વિક્રમ કુમાર મહતો (30) અને સૌરભ કુમાર ધીવર (25)નો સમાવેશ થાય છે. કામગીરી દરમિયાન રેલ્વેના કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર ન હતા. બલિયાપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવ્યા બાદ પણ મોડી રાત સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના કામદારો ભાગી ગયા હતા. કહેવાય છે કે અહી રેલ્વે અંડરપાસનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા દિવસોથી કરવામાં આવી રહ્યું હતું.

મજૂરોના પરિવારજનોની વળતરની માંગ
કેટલાક લોકોનું કહેવું છે કે માટીના કાટમાળમાં વધુ મજૂરો દટાયા છે. તેમને હટાવવા માટે સંબંધિત અધિકારીઓ કે કર્મચારીઓ મોડી રાત સુધી પહોંચ્યા નથી. કેટલાક રેલવે કર્મચારીઓનું કહેવું છે કે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આ અકસ્માત બાદ મજૂરોના પરિવારજનો અને ગ્રામજનો વળતરની માંગ કરી રહ્યા છે. મૃતકોના પરિજનો 20 લાખ વળતરની સાથે આયોજનની માંગ કરી રહ્યા છે. ગ્રામજનો મૃતક દીઠ 20 લાખ વળતરની માંગ સાથે વિરોધ કર્યો હતો. દુર્ઘટના બાદ ડીઆરએમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Most Popular

To Top