Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ – સુરત શહેરમાં 2 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

નવા નોંધાયેલા 21 કેસમાં સૌથી વધુ અમદાવા શહેરમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 3, ભરૂચ, જૂનાગઢ શહેર, સુરત શહેરમાં 2-2, અને અમરેલી, આણંદ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય, મોરબી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા 260 થઈ છે. જ્યારે 255 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 29 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓ સાજા થયા છે.

શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,43,742 વ્યકિતઓને રસી આપવામાં આવી છે જેમાં 133 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 6,961ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18-45 વર્ષ સુધીના 1,90,462ને પ્રથમ ડોઝ અને 27,515ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 66,532ને પ્રથમ અને 52,139ને બીજો ડોઝ મળી કુલ 3,43,742 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,29,58,203 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top