Vadodara

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો દાડમ ઉત્સવ ઉજવાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ સ્વા.મંદિરમાં બિરાજતા દેવોને એસ.જી.વી.પી. ગુરૂકુળના માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી 1500 કિલો દાડમનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, બાલકૃષ્ણ સ્વામી, શ્યામવલ્લભસ્વામી તથા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધિશ આર.પી.ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે શ્યામ વલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, આ દાડમનો અન્નકુટના દર્શનનો હજ્જારો હરિભક્તોએ લાભ લઇને કૃત્યકૃત્ય થયાની લાગણી અનુભવી હતી.

Most Popular

To Top