Vadodara

વડોદરા કલેકટર અતુલ ગોરની સચિવાલય ખાતે બદલી

  • જામનગરના કલેકટર એ.બી. શાહ વડોદરાના નવા કલેકટર
  • હરણી બોટ દુર્ઘટનાનો રિપોર્ટ સોંપવામાં હજુ વિલંબ થાય તેવી શક્યતા 

B.A.Shah – IAS

રાજ્ય સરકાર દ્વારા 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં વડોદરાના કલેક્ટર અતુલ ગોરની પણ બદલી કરવામાં આવી છે વડોદરાના નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર એ. બી. શાહની નિમણૂક કરવામાં આવી છે. 

લોકસભાની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે અગાઉ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર ની બદલી કર્યા બાદ હવે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વડોદરાના કલેક્ટર અતુલ ગોરની પણ બદલી કરવામાં આવી છે તેઓને ગાંધીનગર ખાતે સચિવાલયમાં મૂકવામાં આવ્યા છે તો વડોદરા ની ખાલી પડેલી જગ્યામાં જામનગર ખાતે કલેક્ટર તરીકે ફરજ બચાવી રહેલા એ બી શાહની નિમણૂક કરવામાં આવી છે. નોંધવું રહ્યું કે હરની બોટ દુર્ઘટનામાં કલેક્ટર દ્વારા દસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવનાર હતો. પરંતુ કલેક્ટર અતુલ ગોર દ્વારા પાંચ દિવસનો વધુ સમય માંગવામાં આવ્યો હતો દરમિયાન તેઓની બદલી થઈ ગઈ છે. હવે નવા કલેક્ટર ચાર્જ સંભાળશે અને તમામ બાબતોનું નવેસરથી વિશ્લેષણ કરશે. ત્યારે આ રિપોર્ટ રાજ્ય સરકારમાં સોંપવામાં હજુ વિલંબ થાય તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top