Comments

શિક્ષણની અસમાન તકો આર્થિક સામાજિક અસમાનતાને વધુ તીવ્ર બનાવે છેશિક્ષણની અસમાન તકો આર્થિક સામાજિક અસમાનતાને વધુ તીવ્ર બનાવે છે

શિક્ષણ જગત સતત નિસ્બત સાથે વિચારતા રહેવાનું ક્ષેત્ર છે અહી માત્ર માહિતી થી વિશ્લેષણ કરવું અધકચરું સાબિત થાય. શિક્ષણ જગતમાં એક તરફ પરીક્ષામાં થોડા ઓછા ટકા આવવાથી આપઘાત કરી લેતા યુવાનો છે જ્યારે બીજી તરફ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના છેલ્લા દિવસ સુધી કોઈ તેયારી જ કરતા નથી. એક તરફ એવી શાળા કોલેજો છે જ્યાં વિદ્યાર્થી કે શિક્ષક એક દિવસની રજા પાડવા માટે બે વાર વિચાર કરે છે જ્યારે હજારો શાળા કોલેજો માં વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા પછી માત્ર પરીક્ષા આપવા જ જાય છે.

ગુજરતમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપક અસમાનતા વધતી જાય છે. છેલ્લા વર્ષોમાં ખાસ તો કોરોના પછી એક સત્ય સ્પસ્ટ થઇ ગ્યું છે કે જે અત્યંત હોશિયાર ખરા અર્થમાં કેળવાયેલ છે તેને કોઈ સ્પર્ધા જ નથી જે સ્પર્ધા છે તે તો મધ્યમ માર્ગી યુવાનો ને છે અને ત્યાં ભીડ વધુ છે. આપણે ત્યાં ગામડામાં કોઈ એક સરકારી પ્રાથમિક શાળા જુવો અને શહેર ની હાઈ-ફાઈ સ્કુલ જુવો તો સમ્જાહ્સે કે કોઈ એક સ્કુલ કે કોલેજના એક દિવસના અનુભવ થી આખા શિક્ષણ વિષે તારણ કાઢવા યોગ્ય નથી . હમણાં જ એક અધિકારીએ એક પ્રાથમિક સ્કુલ ની મુલાકાત લઇ પોતાનો મત રજુ કર્યો ત્યારે આ વિવાદ સર્જાયો હતો ગુજરતની સરકારી શાળા ના કેટલાક સત્યો છે .સામાજિક આર્થિક પરિબળોની અસર છે. તે સૌ પ્રથમ જાણવી જરૂરી છે.

ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માટે. એક તો ગુજરાતમાં શહેરી ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણવવા માગે છે.અને કોઈ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાતું નથી,એટલે અંગ્રેજી માધ્યમના આશીકો તો પોતાના બાળકોને ખાનગી અંગ્રેજી માધ્યમ સ્કુલમાં જ ભણાવે છે. બીજું સરકારી શાળામાં લાયકાતવાળા શિક્ષકો હોવા છતાં ત્યાં ગરીબ, સામાજિક, પછાતવર્ગના બાળકો ભણે ,એટલે આ બાળકો સાથે પોતાના બાળકોને ના ભણાવી શકાય તેવી ગુજરાતી સામાજિક માનસિક પરિબળોને કારણે ૧૯૯૧ પછી માતા- પિતા બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ભણાવવા લાગ્યા છે.એક રીતે ગુજરતના માતા-પિતા બાળકના સારા શિક્ષણ માટે ખાનગી સ્કુલના ખર્ચા નથી ભોગવતા પણ પોતાના બાળકોને ગરીબ સામાજિક-પછાત બાળકો સાથે નહી ભણાવવાનો ખર્ચ ભોગવે છે મતલબ કે નફરતની કીમત ચુકવે છે .

ટૂંકમાં અગ્રેજી માધ્યમ અને ખનગી સ્કુલો માં ભણવવા નું સ્ટેટ્સને કારણે સરકારી શાળાઓ માં દિન પ્રતિદિન વિદ્યાર્થી સંખ્યા ઘટતી જાય છે આજનું સત્ય એ છે કે ગ્રામીણ,અંતરિયાળ વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળા માં માત્ર મજુર ગરીબ અને સ્થળાંતરિત કુટુંબોના બાળકો જ પ્રવેશ મેળવે છે. ઘણી જગ્યા એ તો શાળાના આચાર્ય શિક્ષકો ગામ સીમમાં ફરી ને આવા બાળકોનો પ્રવેશ નોધે છે સ્વાભાવિક છે કે આવા બાળકો ની શાળા માં નિયમિત હાજરી હોય જ નહી. મજૂરીએ જતા માતા પિતા ના બાળકો ની તકલીફો જ જુદી હોય છે .આવા બાળકો થોડા મોટા થતા જ નાના ગ્લ્લ્લા લારી પર મજુરી કરવા માંડે છે.

એટલે કોઈ સ્કુલમાં પહોચી ને ઉપરછલ્લું નિરીક્ષણ કરવું અને મત રજુ કરવો તે બે જવાબદારી છે આપણી અગત્યની સમસ્યા છે અસમાનતા .જો અધિકારીઓ કે નેતાઓ ને દેશની થોડી પણ ચિંતા હોય તો તેમણે દેશમાં વધતી આર્થિક સામાજિક રાજકીય અસમાનતા વિષે વિચાર કરવો જોઈએ. અસમાનતા સંપુર્ણ દુર થઇ શકે નહી. બંધારણ માં જે સમાનતાની વાત છે તે “તક”ની સમાનતા ની વાત છે. અને સરકારે સત્તાવાળા એ આ તકની અસમાનતા ઘટાડવા કામ કરવાનું છે. અને એમાય ખાનગીકરણ અને શહેરી કારણ ના સમયમાં શિક્ષણમાં તકની જે અસમાનતા ઉભીથાઈ છે તે હવે ચિંતા જનક રીતે મોટી થતી જાય છે.

એક તરફ શહેરમાં બળકો અંગ્રેજી માધ્યમની શાળાઓ માં અભ્યાસ કરે છે. ખાનગી ટ્યુશન કલાસીસ માં વધારાનું શિક્ષણ મેળવે છે .વળી બધાને ડોક્ટર એન્જીનીયર વકીલ સી એ જ બનવું છે એટલે વ્યવસાઈક શિક્ષણની જ બોલબાલા છે આ બળકોને પણ સમાજજીવન અને સંસ્કૃતિક પરમ્પરાની કાઈ ખબર નથી નાગરિક શિક્ષણનો તો આપડે જ છેદ ઉડાવી દીધો છે. આ બધાની સામે બીજો મોટો વર્ગ નીચી ગુણવત્તા વાળા શિક્ષકો .શોષણ પામતા શિક્ષકો ની ખાનગી સ્કુલોમાં અધકચરું શિક્ષણ મેળવે છે જ્યારે ગામડામાં અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો વગર સુવિધા વગર મજુર વર્ગના બાળકો શિક્ષણ મેળવે છે. એટલે ગુજરાતની નવી પેઢીમાં શિક્ષણ અને જાહેર સમજણમાં મોટી અસમાનતા જોવા મળી રહી છે .

આની અસરો દેખવા પણ માડી છે. સમાજમાં સમજણ ની અસમાનતા વધતી જાય છે .તે સામાજિક અસ્થિરતા પણ સર્જે છે. આપણને આજે એવા ડોક્ટર મળે છે જેને ભારતીય સન્સ્કૃતિ વિષે પ્રાથમિક માહિતી પણ નથી એવા એન્જીનીયર મળે છે જે ગ્રહ નક્ષત્ર વિષે કાઈ જનતા નથી આનું પરિણામ એ આવે છે કે વોટ્સેપ કે શોશિયલ મીડિયામાં આવતી પોસ્ટો થી સૌ અચ્મ્બિત થઇ જાય છે. આ અચંબો અને આશ્ચર્ય અજ્ઞાનતા ને કારને છે જ્ઞાનની અસમાનતાને કારણે છે .આ દુર થાય તેની ચિંતા કરો. બાકી સરકારી શાળા ના બાળકો એ ગુજરાતના તમામ બાળકો નું સાચું ચિત્ર રાજુ કરતા નથી.

એમાય શહેરની શાળા, નગરની શાળા કે જાગૃત ગામની શાળા ની સ્થિતિ અલગ જ હોય છે ગુજરાતમાં એક જ્ઞાતિ ની બહુમતી વાળા અનેક ગામડાઓ માં જ્ઞાતિ સમાજના આગેવાનો રસ લઈને સરકારી શાળા ને સુવિધા સભર બનાવવા ના પ્રયત્ન કરે છે તેવા પણ દાખલા જોવા મળે છે . જય ગામ સમૃદ્ધ છે નાગરિકો જાગૃત છે ત્યાં આગેવાનો સ્થાનિક સરકારી શાળા માં થોડું ધ્યાન આપે તો સારા પરિણામો મળી શકે તેમ છે સરકાર અને સ્થાનિક નેતાગીરી સાથે મળી ને આકામ કરે શિક્ષણ એ સૌ ની જવાબદારી છે .જેમ બાળકોને મારવાથી હોશિયાર નથી કરી શકાતા એમ શિક્ષકો ને સતત ઉતારી પાડવાથી સમગ્ર શિક્ષણ સુધરી નથી શકાતું .શિક્ષણ એ એક પ્રક્રિયા છે જે સતત પ્રયત્નો અને નિસ્બત થી જ સુધરી શકે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top