Gujarat

રાષ્ટ્રપતિ તથા અમીત શાહ ગુજરાતની મુલાકાતે આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ 28મી ઓકટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા રાજભવન પહોંચશે. તેજ દિવસે રાષ્ટ્રપતિ તથા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય ન્યાયમૂર્તિ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. રાત્રિ રોકાણ રાજભવન ખાતે કર્યા બાદ તારીખ 29મી ઓકટોબરના રોજ સવારે રાષ્ટ્રપતિ ભાવનગર જવા રવાના થશે.

ભાવનગરથી તેઓ સીધા મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપુના આશ્રમે જશે. ત્યાંથી બપોર પછી રાષ્ટ્રપતિ ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સમારંભમાં મધ્યમ વર્ગના લોકોને આવાસ વિતરણ સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાત્રી રોકાણ ભાવનગર ખાતે કર્યા બાદ બીજા દિવસે સવારે ભાવનગરથી બીજા દિવસે સવારે સીધા નવી દિલ્હી રવાના થશે. તા.31મી ઓકટોબરના રોજ સરદાર સાહેબની જન્મ જયંતિએ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ કેવડિયા કોલોની આવશે, અહીં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે.ત્યાંથી અમીત શાહ આણંદ ખાતે અમૂલના સમારંભમાં હાજરી આપશે.

Most Popular

To Top