Vadodara

સગીરાને પાવાગઢ લઇ જનાર આરોપી વિરૃદ્ધ દુષ્કર્મનો ગુનો

વડોદરા: પાણીની ટાંકીના વિસ્તારમાં રહેતી સગીરાને ૩ વર્ષ પૂર્વે સુરતના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમી પંખીડાઓએ પાવાગઢ ખાતે નાસી ગયા હતા. જ્યા સગીરા ઉપર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આજના ઈન્ટરનેટના યુગમાં મોબાઈલ થી બાળકોના માનસીક વિકાસ ની સાથોસાથ શારીરિક વિકાસ પણ વધી જાય છે. પુક્ત ઉંમરના થતા પૂર્વે જ સ્વછંદી જીવન વ્યતીત કરે છે. આવો જ વધુ એક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગોત્રી પાણીની ટાંકી પાસે બન્યો હતો મધ્યમ વર્ગના પરિવારની ૧૬ વર્ષીય પુત્રી તેના પ્રેમી બ્રિજેશ રાજપુત (રહે: સુરત, મૂળ, ઉત્તર પ્રદેશ) સાથે 3 વર્ષ પૂર્વે પ્રેમ પાંગર્યો હતો મુગ્ધાવસ્થામાં થી પ્રેમ પંથે પ્રયાણ કરતા પંખીડા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ બની ગયા હતા.

આઇટીઆઇ બાદ બીઇ નો અભ્યાસ કરી ચુકેલા બ્રિજેશ સાથે જીવનભર સાથ નિભાવવા ત્રણ દિવસ પૂર્વ પ્રેમી પંખીડા પલાયન થઇ ગયા હતા. સગીરાના પરિવારજનોએ વ્યાપક શોધખોળ બાદ પાવાગઢ વધુ જાણવા મળતા જ દોડી ગયા હતા અને પ્રેમી પંખીડાઓને લાવીને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . સગીર વયની પ્રેમિકાની પૂછતાછ કરતા તેના પ્રેમીએ બે વખત બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી બ્રિજેશ રાજપૂત વિરુદ્ધ પોલીસે બળાત્કાર અને પોતાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને સગીરાને સમજાવીને તેના પરિવારજનોને સોંપી દીધી હતી

Most Popular

To Top