Comments

દેશમાં અધિકારી રાજ વધતું જાય છે તજજ્ઞો બાજુમાં હડસેલતા જાયછે

એક વાર પ્રધાન મંત્રી શ્રીએ લોકસભામાં કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે ?. . આપડે આ પ્રકારની વ્યવસ્થા અને માનસિકતા ક્યાં સુધી ચલાવીશું ? વાત સાચી છે. ભારત આઝાદ થયો ત્યારથી સમયાન્તરે આ પ્રશ્નો ઉભા થયા છે કે અગ્રેજો એ ગોઠવેલી બાબુશાહી માંથી આપડે ક્યારે આઝાદ થઈશું?. આમતો ,અંગ્રેજો એ જે આંશિક આઝાદી આપવાની શરૂઆત કરી હતી તેમાં આ અધિકારવાદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જ્યાં કામ ભારતીઓ કરે. પણ, તેમણે કામ કેવી રીતે કરવું તે નક્કી અગ્રેજ અફસરો કરે.  ભારતમાં શાળાઓ શરુ થઇ શિક્ષકો ભારતના ,વિદ્યાર્થીઓ ભારતના પણ શું ભણાવવું ?તે અંગ્રેજો નક્કી કરતા.  ગુલામી હતી ત્યાં સુધી આ બધું હોય એ સમજી શકાય.  પણ, આઝાદ ભારતમાં પણ આવું ચાલવા દેવાય ? હા, આઝાદી પછી આપડે મિશ્ર અર્થતંત્ર માં સમાજવાદ તરફ ઢળ્યા અને મોટા ભાગનું અર્થતંત્ર સરકારના કાબુ માં રહ્યું જ્યાં અગત્ય ના નિર્ણયો સરકારી અધિકારીઓ લેતા હતા. ઉદ્યોગ, રેલ્વે ,સંદેશ વ્યવહાર ,બેંક, વીજળી ,દવાખાના અને શિક્ષણ બધુજ સરકાર હસ્તક મતલબ અધિકારીઓ દ્વારા ચાલતું. કેટલાક નીતિ વિષયક નિર્ણય રાજનેતા કરતા પણ રોજીંદો વહીવટ અધિકારીઓ ના પરિપત્રથી થતો.  માટે જ ઘણા આને “લાયસન્સ રાજ”કહેતા. 

1991 થી ખનગી કારણ અને ઉદારીકરણ શરુ થયું અને 2021 માં આ નવી આર્થિક નીતિ ને ત્રીસ વર્ષ પુરા થયા.  કોગ્રેસ નો જોક જેમ સમાજવાદ તરફ હતો તેમ આ સરકારનો ઝોક મૂડીવાદ એટલે કે મુક્ત અર્થતંત્ર તરફ છે.  માટે જ આપડે ડીસ ઇન્વેસ્ટમેન્ટ ની પ્રક્રિયા કરીએ છીએ.  સરકાર પોતાને હસ્તક ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિ ખાનગી ક્ષેત્ર ને સોપે તે ડીસ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય.  આ વખત ના બજેટમાં સરકારે ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા કમાવવા નો ઉદેશ રાખ્યો છે. સાથે સાથે એસેટ મોનેટાઈઝેશન દ્વરા પણ રૂપિયા ભેગા કરવાના છે.  એસેટ મોનેટાઈઝેશન એટલે સરકારી સંપત્તિ વેચી ને રૂપિયા કમાવવા જેમકે રેલ્વે પાસે વધારાની જમીન પડી છે તે બજારમાં વેચી ને રૂપિયા અંકે કરવા

વર્ષો થી કેટલાક પ્રશ્નો દરેક અભ્યાસુઓ ને થતા હતા. જેમકે ખેતી ના અગત્યના નિર્ણય સચિવો કેવી રીતે કરી શકે.  જેમ ક્રિકેટ ન રમનારા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ના નિર્ણાયકો હોય છે તેમ ખેતરમાં પગ ન મુકનારા અધિકારીઓ ખેતી વિષે યોજના ઓ બનાવે, નિયમો બનાવે. . . . આવું જ શિક્ષણ માં. . . રમતગમત માં વહીવટ માં બધે જ. . . માટે વડા પ્રધાને જે પ્રશ્ન ઉભો કર્યો હતો તે નવો નથી પણ આશ્ચર્ય કારક જરૂર છે.  કારણ કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત માં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ટેવ પાડી હતી કે વાતવાત માં ધારાસભ્યો અને નેતાઓ એ દખલ કરવી નહિ અને અધિકારીયો એ નિયમ મુજબ કામ કરવું આગળ જતા આ ટેવ એવી વ્યવસ્થા થઇ કે અધિકારીયો કોઈનું મને જ નહી. 

જે પ્રશ્ન લોકસભમાં વડાપ્રધાને પૂછ્યો તે જ પ્રશ્ન આપડે આ કોલમમાં વારવાર પૂછતા આવ્યા છીએ કે શા માટે ગુજરાતમાં આટલું બધું અધિકારીયો નું શાશન છે. શાળા કોલેજો ના વેકેશન ,સેમેસ્ટર સીસ્ટમ ,પરીક્ષા બધુજ અધિકારીઓ નક્કી કરે છે.  સરકારી ભરતીઓ માં લાયકાતના ધોરણો રાતોરાત બદલાય છે નેતાઓનું ધ્યાન દોરીએ તો કહેછે સચિવ ને પૂછો.  ગુજરતમાં કૃષિ મેળા ,કન્યા કેળવણી વાચેગુજરાત. . . . થી માંડીને મહોત્સવો ઉજવણીઓ. ઔદ્યોગિક નીતિઓ બધું જ અધિકારીઓ નક્કી કરેછે.  અને માટેજ આ કિરીટ પટેલ જેવા અનેક આ દુર્વ્યવસ્થા અને બાબુશાહીનો લાભ લે છે.  સત્તા માં સતત ભાજપ છે અને શાશન માં સતત કેટલાક અધિકારીઓ.  વળી ગુજરાતમાં તો છેલ્લા વર્ષોમાં મુખ્યમંત્રી બદલાયા પણ કેટલાક મહત્વના સ્થાનો પર અધિકારીઓ તો એના એજ છે માટેજ ઉત્સવો ના નામ અને સ્થળ ભલે બદલાય તેના કોન્ટ્રાકટરો કલાકરો એના એજ હોય છે.  ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ હસતા હસતા આપેલી સલાહ ઘણી સૂચક છે કે “તમે તમારા કામ માટે અમને મળો અમે મંત્રીશ્રીઓ ને કહીએ મંત્રીશ્રી અધિકારીને જણાવે એના કરતા તમે સીધા જ અધીકારીને મળી લો કામ વહેલું પતશે”

આમતો ખાનગી કરણના ત્રીસ વર્ષ પછી લાયસન્સ અને બાબુશાહી લગભગ ખત્મ થવી જોઈએ પણ ગુજરાત માં સરકારી કારણ વધતું જાય છે. આપડે સિનેમા જેવા ખાનગી ક્ષેત્ર માં પણ સર્વિસ ચાર્જ ના પત્રો સરકારી બાબુઓ કરે છે.  કોરોના કાળમાં તો લગભગ અધિકારીઓ જ નક્કી કરતા રહ્યા કે સમાજ અને અર્થતંત્ર કેવી રીતે ચાલશે.  આવા સંજોગોમાં જો ખુદ સરકારના વડા જ માનતા હોય કે “બધે બાબુઓ ની જરૂર નથી”. . જે તે ક્ષેત્ર ના તજજ્ઞો ત્યાં નિર્ણય કરે. તે તરફ દેશને ગતી કરવાની છે તો ગુજરાત સરકારના આગેવાનો પણ આ વાત સમજે શિક્ષણ ના નિર્ણયો શિક્ષણના તજજ્ઞો ને કરવાદો,યુનીવર્સીટી સ્વતંત્ર રીતે ચલ્વાદો. સિનેમા નિર્માણ અને પ્રદર્શન માં સરકાર કરવેરા સિવાય ની દખલ ઓછી કરે.  ઉદ્યોગો અને વહન વ્યવહાર સંદેશ વ્યવહાર માં ,આર્થિક વ્યવહારોમાં અધિકારીઓ ની ડખલ ઓછી કરે.

આમતો ખાનગી કારણ બાદ અનેક જગ્યાએ સ્વતંત્ર “ઓથોરીટી”ની સ્થાપના થઇ છે.  અને જે ક્ષેત્રના નિર્ણયો આ ઓથોરીટી એ લેવાના હોય છે જેને ગુજરાતી માં સત્તા મંડલ કહેવામાં આવે છે. શહરો માં વધતા બી આર ટીએસ ,રીવર ફ્રન્ટ , વીજ કંપની ,શહેરી સત્તા મંડલ આ બધું જ આમતો સ્વતંત્ર બોડી છે.  ધારણાઓ તો એવી છે કે ત્યાં તજજ્ઞો નિર્ણય કરે પણ વાસ્તવમાં આ બધા જ સ્વતંત્ર સત્તા મ્ન્દલો માં દેખાવ ના રાજ નેતાઓ બેસાડ્યા છે અને નિર્ણય અધિકારીઓ જ કરે છે.  ઓગસ્ટ મહિનો સ્વતંત્રતા ની ચળવળ નો મહિનો છે. આશા રાખીએ કે આપણે અંગ્રેજો સમયની બાબુ શાહી અને અધિકારવાદ માંથી બહાર આવીએ અને હવે સાચી સ્વતન્ત્રતા તરફ ડગ માંડીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top