Dakshin Gujarat

એવું તો શું થયું કે તામસી મગજના યુવકે પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી

નવસારી : જલાલપોર (Jalalpor) તાલુકાના અબ્રામા ગામે મોટા ફળીયામાં મયુરીબેન વિરલભાઈ પટેલ (ઉ. વ. 27) તેમના પરિવાર સાથે રહે છે. ગત 5મીએ બપોરે વિરલભાઈએ તેની પત્ની મયુરીબેન પાસેથી પૈસાની માંગણી કરી હતી. ત્યારે મયુરીબેને પૈસા નથી તેમ જણાવતા વિરલભાઈએ મયુરીબેન સાથે ઝઘડો કરી તેમને અપશબ્દો બોલી ઘરેથી નીકળી ગયા હતા.

  • અબ્રામા ગામે દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઘરમાં આગ લગાવતા ઘરવખરી બળી ગઇ

ત્યારબાદ બપોરે 2 વાગ્યે ફરી વિરલભાઈએ ઘરે આવી મયુરીબેન પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે પણ મયુરીબેને પૈસા નહીં હોવાનું જણાવતા વિરલભાઈએ મયુરીબેનને અપશબ્દો બોલી ઘરને સળગાવી દેવાની ધમકી આપી ઝઘડો કરવા લાગ્યા હતા. જોકે મયુરીબેન તેમની બંને છોકરીઓને લઈ ઘરની પાછળ આવેલી વાડીમાં જતી રહી હતી. ત્યારે વિરલભાઈએ તેમના ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે ઘરનો સામાન પેટી પલંગ, હાયર કંપનીનું ડબલ ડોરવાળુ ફ્રીજ, લાકડાનો કબાટ, લાકડાનું ભંડારીયું, લાકડાની વાસણ મુકવાની ઘોડી, તેમની દીકરીની સાયકલ, ઘરવખરીનો સામાન, રોકડા 8 હજાર રૂપિયા અને બીજા દસ્તાવેજના કાગળો મળી કુલ્લે આશરે 60 હજાર રૂપિયાનું નુકશાન થયું હતું.

થોડીવાર બાદ મયુરીબેન ઘર પાસે આવ્યા તો તેમનું ઘર સળગતું હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સાથે પોલીસને પણ જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડે આવી પાણી છાંટી આગ ઓલવી નાંખી હતી. આ બનાવ અંગે મયુરીબેને જલાલપોર પોલીસ મથકે પતિ વિરલભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એન.ડી. ચૌધરીએ હાથ ધરી છે.

લગ્નનાં 16 વર્ષના લગ્ન જીવનમાં સોતન વિલન: પત્નીને પતિએ મારીને કાઢી મૂકી
પલસાણા: લગ્નનાં 16 વર્ષ બાદ બે સંતાનની માતા ઘરકંકાસથી કંટાળી તેમજ પતિના અન્ય સ્ત્રી સાથેના અફેરની બાબતે ઝઘડો કરી પિયર આવી ગઈ હતી. જો કે, આજદિન સુધી પતિ તેમજ સાસરિયાંએ ફોન નહીં કરતાં અને તેડવા નહીં આવતાં પરિણીતાએ પતિ સહિત સાસરિયાંના 7 વિરુદ્ધ મહિલા પોલીસમથકમાં દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પલસાણાના કરાળા ગામના ખુમાનસિંહની વાડીમાં પોતામાં પિતાના ઘરે રહેતી સુનિતા રમાકાન્ત અખાડે (ઉં.વ.35)નાં લગ્ન 12 માર્ચ-2006 રોજ મહારાષ્ટ્રના પીપાળગામ, તા.સિંધખેડા, જિ.ધુલિયામાં રહેતા રમાકાંત વસંત અખાડે સાથે થયાં હતાં. લગ્ન બાદ સુનિતા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નજીવન દરમિયાન તેને 16 વર્ષીય દીકરી અને 14 વર્ષીય દીકરો હતો. લગ્નના 6 મહિના બાદ જ પતિ રમાકાંત ઝઘડો કરી મારઝૂડ સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અંદાજિત અઢાર મહિના અગાઉ પતિ રમાકાંતના મોબાઈલમાં સુનિતાએ આઈ લવ યુ તેમજ આઈ મિસ યુના મેસેજ વાંચ્યા હતા.

જે મેસેજ બાબતે પતિને પૂછતાં પતિએ ઉશ્કેરાઈને ‘એ તારી સોતનના મેસેજ છે’ એમ કહી સુનિતાને મારી હતી અને ‘તને છોડી શકું. પરંતુ તારી સોતનને નહીં’ એમ કહ્યું હતું. આ બાબતે સુનિતાએ સાસુ-સસરા અને મોટી નણંદ અને જેઠજેઠાણીને વાત કરતાં તેઓએ પતિને સમજવાને બદલે સાસુએ ‘તું તારા પિયરથી કંઈ લાવી નથી. માટે તું અહીંથી નીકળ’ એમ કહ્યું હતું. જ્યારે સસરાએ સુનિતાને તારે જો અહીં રહેવું હોય તો પિતાના ઘરેથી 10 લાખ રૂપિયા લઈ આવ. જો નહીં લાવે તો ગાડીમાંથી પેટ્રોલ કાઢી તારી પર નાંખી સળગાવી દઈશું’ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે બાદ મોટી નણંદની દીકરીએ પણ સુનિતાને મારવાની કોશિશ કરી હતી. આમ, બોલાચાલી થતાં સુનિતાને પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી.

આ ઘટના અંગે સુનિતાએ પિતાને ફોન કરતાં પિતા 10 દિવસ બાદ સુનિતાને તેડી લાવ્યા હતા. હાલ સુનિતા પોતાના પિતા સાથે રહી પ્રાઇવેટ નોકરી કરી પોતાનાં બે સંતાન સાથે પોતાનું ગુજરાન ચલાવે છે. લગ્નનાં 16 વર્ષ બાદ બે સંતાન હોવા છતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની આશંકા રાખી હતી. પતિ તેમજ સાસરિયાં આજદિન સુધી ફોન નહીં કરતાં કે તેડવા નહીં આવતાં સુનિતાએ પતિ રમાકાંત અખાડે, સસરા વસંત અખાડે, સાસુ સુમન અખાડે, જેઠ ગિરીશ અખાડે, મોટી નણંદ મંગળ સપકાળે, તેનો પુત્ર રાહુલ સપકાળે તેમજ શોભાબેન અડકમોલ વિરુદ્ધ મહિલા પોલીસમથકમાં ઘરેલુ હિંસા તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top