Entertainment

ટપ્પુસેનાનો મુખ્ય સેનાપતિ રાજ પણ શું હવે શો છોડવાની તૈયારીમાં છે?

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehtaka Ulta Chashma) સીરિયલથી કોણ વાકેફ નથી. દેશ તેમજ વિદેશમાં આ સીરિયલના જબરદસ્ત ફેન છે. પરંતુ આજરોજ એવા સમાચાર (News) બહાર આવ્યાં છે કે જે તમને પણ સ્તબધ કરી દેશે. મળતી માહિતી મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં જેઠાલાલના પુત્રનું પાત્ર નિભાવનાર રાજ અનડકટે શો (Show) છોડવાનો નિર્ણય કર્યો છે. ચાહકોની દયાબેનની રાહનો ખાતમો થયો છે ત્યારે હવે ગડા પરિવારમાંથી ટપ્પુએ શો છોડવાનો નિર્ણય કર્યો છે? દિશા વાકાણી, નેહા મહેતા, ગુરુ ચરણસિંહ, શૈલેષ લોઢા પછી હવે વધુ એક કલાકાર આ શોમાંથી બાકાત થઈ જવા રહ્યાં છે તેવી માહિતી મળી આવી છે.

  • દિશા વાકાણી, નેહા મહેતા, ગુરુ ચરણસિંહ, શૈલેષ લોઢા પછી હવે વધુ એક કલાકાર આ શોમાંથી બાકાત થઈ જવા રહ્યાં છે
  • રાજ અનડકટ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા નહીં મળે
  • મેકર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી

મીડિયા અહેવાલો મુજબ રાજ અનડકટ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા નહીં મળે. તે ઘણાં દિવસોથી શોમાં દેખાયો નથી. જો કે મેકર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અત્યારે આ બાબતોને માત્ર અફવા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આ સમાચારથી ચાહકો પણ થોડા પરેશાન થઈ ગયા છે. રાજની વાત કરીએ તો તે તારક મહેતા સીરિયલમાં ટપ્પુ સેનાનો મુખ્ય સેના તરીકેની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ગડા પરિવારનો કુળદીપક તરીકેની ભૂમિકા તે ભજવે છે. તેની મસ્તીના કારણે તે હંમેશા ગોકુલઘામ સોસાયટીમાં ચર્ચાતો રહે છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રોડડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે રાજ ગયા વર્ષે 20 ડિસેમ્બર પછી શૂટિંગ કરવાનો નહતો. જોકે પ્રોડક્શન હાઉસે રાજ સાથેના મતભેદનો ઉકેલ લાવી દીધો હતો અને તેણે શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

રાજ પહેલા ટપ્પુની ભૂમિકા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો, પરંતુ 9 વર્ષ પછી તેણે આ શોને અલવિદા કહી દીધું હતું. તે 2008થી 2017 સુધી દર્શકોને હસાવતો હતો, પરંતુ 2017 પછી આ જવાબદારી રાજ અનડકટે લીધી હતી. હવે જો રાજ પણ ગડા ફેમેલિ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જોવા ન મળશે તો ચાહકોમાં ઘણી નિરાશાનો માહોલ જોવા મળશે.

Most Popular

To Top