SURAT

સુરત: પાંડેસરામાં દીકરીના જન્મ દિવસે જ પિતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત: સુરત(Surat) પાંડેસરાના મહાદેવનગરમાં 4 વર્ષની એકની એક દીકરીના જન્મદીવસે(BIRTHDAY) પિતાએ ફાંસો ખાય આપઘાત(Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ દારૂના નશામાં પત્નીને ધક્કો મારતા જમીન પર ઢળી પડેલી પત્ની મૃત્યુ પામી હોવાના વહેમમાં ડરના મારે યુપીવાસીએ ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. નંદલાલને ત્રણ સંતાનોમાં બે પુત્રો 9 અને 2 વર્ષના અને નાની 4 વર્ષની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. દીકરીના જન્મદિવસનો પ્રસંગ માતમમાં ફેરવાય જતા બિંદ પરિવાર આઘાતમાં સરી ગયો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાત્રે બની હતી. અચાનક બુમાબુમ થઈ જતા પાડોશીઓ દોડી ગયા હતાં. બાળકો રડતા હતા અને પત્ની સીમા જમીન પર બેભાન પડેલી હતી. તપાસ કરતા નંદલાલ બિંદ પહેલા માળે રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ભાનમા આવેલી સીમા ને પતિના આપઘાતની ખબર પડતાં શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. દીકરીના જન્મ દિવસનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂના નશામાં ઘરે આવેલા પતિ નંદલાલને પત્ની સીમાએ ઠપકો આપતા ઝગડો થયો જતો. ત્યારબાદ નંદલાલએ પત્નીને ધક્કો મારતા સીમા જમીન પર ફેંકાયને બેભાન થઈ ગઈ હતી. બસ પત્ની મૃત્યુ પામી હોવાનું સમજી ડર ના મારે નંદલાલએ પહેલા માળે રૂમમાં જઇ આપઘાત કરી મોતને વ્હાલું કરી લીધું હતું.

મળતી માહિતી મુજબ નંદલાલ સોસિયો સર્કલ ડિજિટલમા પ્રિન્ટિંગ નું કામ કરતો હોવાનું અને ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. મૂળ યુપીવાસી નંદલાલ ને દારૂ પીવાની કુટેવ પણ હોવાનું જાણવા મળ્યું છે. પત્ની 3 સંતાન સાથે રહેતા નંદલાલ પર જ ઘરની તમામ જવાબદારીઓ હતી.

Most Popular

To Top