SURAT

સુરતમાં ચોરીની શંકામાં માસુમ ભાણેજને માસીએ દંડા મારી મારીને પતાવી નાંખ્યો

સુરત : આમ તો માસી માં સમાન કહેવાય છે. પરંતુ સુરત(Surat)માં માસી(Masi) અને ભાણેજ(Nephew) વચ્ચેના સંબંધો શર્મસાર થયા છે. એક માસીએ ચોરી(theft)ની આશંકામાં પોતાના જ ભાણેજને એટલી હદે માર માર્યો એક તેનું મોત થઇ ગયું. આ ઘટના બની છે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં. નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં માસીના ઘરમાંથી રૂપિયા ચોરી કરવાના આરોપસર માસીએ 12 વર્ષિય સગીરને દંડા વડે માર મારતા સગીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે માસુમનું મોત(Death) નિપજ્યું હતું. આ મામલે અઠવા પોલીસે ગુનો નોંધી વિધવા માસીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ચોરીની શંકા રાખી સગી માસીએ દંડા મારી મારીને 12 વર્ષના ભાણેજને પતાવી નાંખ્યો
  • ગુનો નોંધાતા પોલીસે સગી વિધવા માસીની નાનપુરામાંથી ધરપકડ

પ્રાપ્ત વિગતો અનુસાર નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં રહેતી રેશ્માબીબી મોહમદ ઝુબેર શેખના 12 વર્ષિય પુત્ર સિરાઝુલને ગત રાત્રિના સમયે નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતી માસી શહેઝાદી સલીમ અકબરશાએ દંડા વડે માર માર્યો હતો. માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાને સગીર વયના સિરાઝુલનું મોત નિપજ્યું હતું. સિરાઝુલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે અઠવા પોલીસે મૃતકની માસી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિડીયો જોવા ક્લિક કરો

દંડા વડે માર મરાતા મોત
વધુમાં જાણવા મળ્યું છે કે, સિરાઝુલની હત્યા કરનાર શહેઝાદી તેની સગી માસી છે અને તેણી વિધવા છે. ઘરમાંથી ચોરી થઇ હોવાની શંકા રાખીને સિરાઝુલને દંડા વડે માર મરાતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. શહેઝાદી ખંડેરાવ પુરાના એક મકાનમાં પહેલા માળે રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રેશ્માબીબી રહે છે. હાલ આ મામલે વધુ તપાસ અઠવા પોલીસ કરી છે. મોડી રાત્રિએ શહેઝાદી સલીમ અકબરશાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

માત્ર 12 વર્ષના બાળકને ક્રુરતાપૂર્વક ફટકારવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 12 વર્ષના બાળકને ક્રુરતાપૂર્વક ફટકારવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે. આટલી ક્રુરતાપૂર્વક કોઇ મહિલા બાળકની હત્યા કેવી રીતે કરી શકે તેવી ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચાલી રહી હતી. જો કે, હવે મહિલા પોલીસની ગીરફ્તમાં આવી ગઇ છે.

Most Popular

To Top