SURAT

સુરત: વિદ્યાર્થીઓથી ભરેલી કારને અકસ્માત નડતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત

સુરત: સુરતના (Surat) ઇસનપુર ગામની હદમાં વિદ્યાર્થીઓથી (Students) ભરેલી ઇકો કારને અકસ્માત (Accident) નડતા 3 વિદ્યાર્થીઓના કરુણ મોત (Death) નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કોલેજ ના વિદ્યાર્થીઓ લઇ જતી વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ તમામ વિદ્યાર્થીઓ માલિબા કોલેજના હોવાનું અને પરત માંડવી જતી વખતે ખરવાસા ઇસનપુર માર્ગ પર અકસ્માત નો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. વાન અકસ્માતમાં ઘવાયેલા 6 જેટલાં વિદ્યાર્થીઓને બારડોલી સરદારમાં હોસ્પિટલ માં સારવાર માટે ખાસેડાયા છે. બારડોલી પોલીસે ઘટના સ્થળે દોડી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો ના જણાવ્યું હતું કે ઘટના બારડોલી તાલુકાના ઇસનપુર ગામની સીમામાં બની હતી. કોલેજ વિદ્યાર્થીઓ વાનમા માલિબા કોલેજ થી છૂટી ને માંડવી તરફ જતા હતા. એ દરમિયાન ખરવાસા ઇશનપોર રોડ પર વાન ચાલક વિદ્યાર્થી એ સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા વાન ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આઠ પૈકી માંડવી ના પારસ રોહિતભાઈ શાહ તેમજ કામરેજ અવંતિકા સોસાયટી માં રહેતા જય અમરચંદ શાહ મળી બે વિદ્યાર્થી ના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં . જેઓને 108 એમ્બ્યુલન્સ ની મદદ વડે બારડોલી ની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહુવા ના રહેવાસી આ એ વાન ના ડ્રાઇવર કીર્તન ભાવસાર નું પણ મોત થયું હતું. મૃત્યુ આંક ત્રણ થયો હતો.

ઈજાગ્રસ્ટ ના નામની યાદી

  1. તનિસક પારેખ રહે અડાજણ સુરત
  2. મનશ્વી મેરૂલીયા રહે. કતારગામ સુરત
  3. સુમિત માધવણી રહે બારડોલી
  4. નિધિ પટેલ રહે. નવસારી
  5. કીર્તન ભાવસાર રહે. મહુવા
  6. હેત્વી દિલીપ પટેલ રહે. પી. એન. પાર્ક માંડવી

મૃતકો ની યાદી

  1. પારસ શાહ માંડવી
  2. જય અમરચંદ્ર શાહ કામરેજ
  3. કિર્તનકુમાર ભાવસાર મહુવા

Most Popular

To Top