SURAT

સુરત: પ્રેમલગ્નના ચોથા મહિને 19 વર્ષીય યુવકે આપઘાત કરતા ચકચાર

સુરત: પાંડેસરામાં પ્રેમ લગ્નના ચોથા જ મહિને 19 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. અભય વિધવા માતાનો એક નો એક દીકરો અને એકની એક બહેનનો લાડકા ભાઈના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આપઘાત પાછળ પત્ની સાથે થયેલો ઝઘડો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

પ્રિયા (મૃતકની પત્ની) એ કહ્યું હતું કે ઘટના સમય હું કામ પર હતી. આવી ને જોયું તો ખબર પડી કે અભય ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નાનકડી વાત પર થયેલો ઝગડો અભયના આપઘાત નું કારણ હોય શકે ? 4 મહિના પહેલા જ ઘરેથી ભાગીને બંને એ પ્રેમ લગ્ન કર્યા હતા. અભય વિજય શ્રીવાસ્તવ (ઉ.વ. 19) ને એક બહેન વિજયા અને વિધવા માતા છે. તેઓ પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહે છે.

વિજયા (બહેન) એ જણાવ્યું હતું કે પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો છે. અભયના આપઘાત ને લઈ પરિવાર શોકમાં સરી પડ્યું છે. પાડોશીઓ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે ઘર નો દરવાજો તોડી અભયનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પત્ની અને પરિવારને જાણ કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top