Entertainment

આલિયા-રણબીરના સાત ફેરા આ તારીખે, આ મહેમાનો હાજર રહશે

મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન (Marriage) પહેલાની અને લગ્નની તારીખો 13 થી 17 એપ્રિલ સુધીની છે. મળતા અહેવાલો મુજબ, બંનેના લગ્ન આરકે હાઉસ વાસ્તુમાં નક્કી કરવામાં આવ્યા છે. હવે ધીમે ધીમે આ લગ્ન સાથે જોડાયેલી બાકીની વિગતો પણ બહાર આવી રહી છે.

ક્યારે થશે મહેંદી નાઈટ અને કોણ કોણ સામેલ થશે ?
રણબીર અને આલિયાની જોડી ચાહકોને પસંદ છે. તેમના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી નાઇટ 13 એપ્રિલના રોજ છે. સાથે જ 14 એપ્રિલે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લગ્ન 15 એપ્રિલે થશે. આ રોયલ વેડિંગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ આવવાની આશા છે. તેવામાં ગેસ્ટ લિસ્ટમાં દિગ્દર્શક સંજય લીલા ભણસાલી, કરણ જોહર, ઝોયા અખ્તર, ડિઝાઇનર મસાબા ગુપ્તા, અભિનેતા વરુણ ધવન અને તેમના ભાઈ રોહિત ધવનનું પણ નામ સામેલ છે. આ સિવાય રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી પણ લગ્નમાં શામેલ થશે.

આ નામો સિવાય અર્જુન કપૂર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને અનુષ્કા રંજનનું નામ સામેલ છે. એવું પણ સાંભળવા મળે છે કે આલિયા ભટ્ટે તેની ફિલ્મ ડિયર જિંદગીના કો-સ્ટાર અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ તેના લગ્નમાં આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત બંનેના પરિવારના સભ્યો પણ આ ભવ્ય લગ્નમાં હાજરી આપશે. તેમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન નામ પણ સામેલ છે. તાજેતરમાં એવું સાંભળવા મળ્યું છે કે રણબીર કપૂર લગ્ન પહેલા બેચલર પાર્ટી કરવા માંગે છે.

કયા રીતિ રિવાજોથી લગ્ન કરશે?
એવું જાણવા મળ્યું છે કે આ લોકપ્રિય કપલ પરંપરાગત પંજાબી રીતિ-રિવાજો અનુસાર લગ્ન કરવા જઈ રહ્યું છે. આ રિવાજ મુજબ બંનેના નામનો લંગર મુંબઈના જુહુ અને બાંદ્રાની વચ્ચે આવેલા ગુરુદ્વારામાં આપવામાં આવશે. ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન થયા ત્યારે પણ તેમના નામનો લંગર ગુરુદ્વારામાં આપવામાં આવ્યો હતો.

લગ્ન પછીનો શું પ્લાન છે?
કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ હજુ અધૂરું છે. કરણ જોહર ફિલ્મનું બાકીનું શૂટિંગ સ્વિટ્ઝરલેન્ડમાં કરવાનું વિચારી રહ્યા છે. આ શૂટ મે અથવા જૂન મહિનામાં નક્કી કરવામાં આવ્યું છે. આલિયા અને રણવીર સિંહ એક અઠવાડિયા માટે અહીં રહેશે. જ્યારથી ચાહકોને સ્વિટ્ઝર્લેન્ડ વિશે ખબર પડી ત્યારથી તેઓ કહે છે કે શું તે બંનેનું હનીમૂન ડેસ્ટિનેશન છે? આલિયા ભલે કામ માટે જઈ રહી હોય, પરંતુ રણબીર આ ટ્રિપમાં તેમને કંપની ચોક્કસ આપી શકે છે.

કયા કારણે હજુ સુધી ખૂલીને લગ્ન વિશે વાત નથી કરી?
અહેવાલ છે કે રણબીર અને આલિયાએ તેમની વેડિંગ ટીમ સાથે નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA) પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત કોઈને પણ લગ્નની વિગતો શેર કરવાની અને લગ્નની કોઈપણ તસવીરો લીક કરવાની મંજૂરી નથી. જાણવી દઈએ કે બંનેના લગ્નની ટીમનું નામ શાદી સ્ક્વોડ છે.

Most Popular

To Top