Surat Main

‘પોઝિટિવ સન્ડે’ સુરતના સ્મશાનમાં આવતા મૃતદેહોમાં ચાર દિવસમાં 50-60 ટકાનો ઘટાડો

surat : શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક સમાચાર ( positive news) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના ( corona) એ મોતનું તાંડવ શરૂ કર્યું હતું. હજી પણ આ તાંડવ ચાલું રહ્યું છે. પરંતુ છેલ્લા એક મહિનાની તુલનાએ ચારેક દિવસથી કોરોનાથી મોતના ( death) દર્દીઓની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે આંકડા સ્મશાનગૃહોમાંથી જાણવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વેવ તેના પીકઅપ પર હતી, તે ડાઉન થઇ હોવાની વાત દસ દિવસ પહેલા ઘોષિત કરવામાં આવી હતી.

સમગ્ર શહેર-જિલ્લાને છેલ્લા એક મહિનાથી કોરોનાના કાળે બાનમાં લીધા હતા. શહેરમાં કોરોનાથી ટપોટપ લાશો પડી રહી હતી. જેને કારણે શહેરની હોસ્પિટલની બહાર જ નહીં પરંતુ સ્મશાનગૃહની બહાર પણ લાંબી લાઈનો જોવા મળી હતી. અંતિમ ક્રિયા માટે આઠ-દસ કલાક રાહ જોવડાવી પડતી હતી. જેને કારણે શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તંત્ર પણ માથું ખંજવાળતું થયું હતું કે કોરોના સંક્રમણને કઈ રીતે કાબૂમાં લેવું. સરકારના તમામ પ્રયાસો પણ કોરોના નામના આ રાક્ષસ સામે પરાસ્ત નજરે આવ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ સુધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ બાબતની ચકાસણી કરવા સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોના આંકડા ચકાસવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્મશાનગૃહમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે આવતા મૃતદેહોની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખરેખર શહેર માટે ખૂબ જ પોઝિટિવ છે કે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે એટલે કે કોરોનાથી મોતને ભેટતાં દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.

  1. શહેરના મુખ્ય ત્રણ સ્મશાનગૃહોમાં આવતા મૃતદેહોની સ્થિતિ

સ્મશાનગૃહ ગયા અઠવાડિયા સુધી આ અઠવાડિયા સુધી

ઉમરા 90-110 50-60
અશ્વિનીકુમાર 120-130 50-70
કુરૂક્ષેત્ર 100-120 35-40

છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના આકડાઓ લોકોને હેરાન કરી રહ્યા હતા. તેમજ કોરોનાના કારણે થતાં મોતની સંખ્યા પણ એટલી હતી કે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લાઈનો લગતી હતી જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવાયો હતો. પરંતુ છેલ્લા 4 દિવસોથી કોરોનાના કારણે થતાં મોતની સંખ્યામાં ઘટાડો દેખાયો છે, જેનાથી એચએએલ લોકો અને તંત્રે પણ થોડી રાહત લીધી છે.

Most Popular

To Top