Top News

More Posts

   The Latest

Most Popular

સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે તેમાં સહરા દરવાજાનો 29 વર્ષીય યુવાન છે. રૂસ્તમપુરાની 45 વર્ષીય મહિલા છે. પાંડેસરાનો 28 વર્ષીય યુવાન છે. ઉમરવાડાની 25 વર્ષની યુવતી છે. અડાજણનો 28 વર્ષીય યુવાન છે. અને પાંડેસરાની 55 વર્ષીય મહિલા છે. આ તમામને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે મિશનમાં સારવાર લઇ રહેલા પાલનપોરના 28 વર્ષીય યુવાન અને પાલની 71 વર્ષની વૃદ્ધાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.સુરત મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે ગુજરાતમાં પહેલી વાર આ બે વિસ્તારોને માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને પણ બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ પર પ્રતિબંધ મકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. તંત્રએ માસ કોરોન્ટાઈન કરી દીધું છતાં હજી કેટલાક લોકોની મુવમેન્ટ જોવા મળતી હોય આ વિસ્તારમાં હવે મોટાપાયે દંડનીય કાર્યવાહી કરવા માટે વિચારણા થઈ રહી છે.બીજી તરફ રાંદેરના 16 હજાર ઘરના 54 હજાર લોકોને માસ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ ગઈકાલથી આજ સુધીમાં રાંદેરથી જોડાયેલા ન્યુ રાંદેર રોડ ગોરાટમાં વિસ્તારમાંથી પણ ત્રણ પોઝિટિવ કેસ આવી ગયાં છે. તેથી મનપાએ અહી રાંદેરની બાજુના વિસ્તારને બફર ઝોન જાહેર કરી દીધો છે. આવી જ રીતે બેગમપુરા હાથી ફળિયાની આસપાસના વિસ્તારમા પણ બફર ઝોન જાહેર કરીને ત્યાં પણ કોઈ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મુકી દવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં મનપા દ્વારા લોકોની હેરફેર સામે મોટાપાયે દંડની વિચારણા પણ કરવામાં આવી રહી છે.

To Top