લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય...
હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી...
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ...
એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના...
આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને...
સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો...
એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને...
આ પૃથ્વી પર મનુષ્યો આવે છે અને જીવન પૂરું થાય એટલે ચાલી જાય છે. આખા જીવન દરમિયાન ઘણા લોકો આશાભર્યું જીવન જીવી...
અમેરિકામાં એક બિનનિવાસી ભારતીય મિત્રની દુકાન આગળ ગોળીબાર થયો. એક અમેરિકનને ઈજા થઈ. અમેરિકને દુકાનદાર ફર્મ સામે વળતરનો દાવો કર્યો. દુકાનદારનો શું...
બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર માતા-પિતા પરિવાર શાળાના શિક્ષકો તરફથી મળે છે તે પણ જન્મથી જ. જો કે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ ધારણ થાય ત્યારથી...
માનવ અધિકાર માટે પહેલું રણશીંગું (બ્યુગલ) ફૂંકનાર જન્મજાત શિશુ. પૃથ્વી પરના પદાર્પણથી કુદરતદત્ત માનવ અધિકાર માટેની લડત ચાલુ થાય છે. માણસ ક્યારેય...
રાષ્ટ્રીય શાયર- ગુજરાત સપૂત, સ્વ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીને સાંપ્રત સત્તાધારી નેતાઓએ અભડાવી. ‘મેઘાણી’નું જાણે હડહડતુ અપમાન કર્યું છે. ગુજરાત સરકારનાં...
જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી જો કોઇની સૌથી વધારે જવાબદારી વધી હોય તો તે છે તબીબ. તબીબની વાત કરીએ તેમાં પણ...
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ...
થોડા દિવસ પહેલાં ટોકયો ઑલિમ્પિકસની પૂર્ણાહુતિ થઈ. તમે આ વાંચતા હશો એ જ દિવસે- આ રવિવારે પેરાલિમ્પિક્સ પર પણ આગામી ચાર વર્ષ...
mરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે એટલે તેમનો...
કળાના જે સ્વરૂપમાં કામ કરતા હોઇએ તેના વિશે અનેક પરિપ્રેક્ષ્યથી વિચાર કરતા રહેવું જરૂરી છે. આવા વિચારથી જ જેતે કળા સ્વરૂપમાં નવાં...
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે રાઈટ ટૂ પ્રાઈવસીની અંદર રાઈટ ટૂ બી ફર્ગોટન પણ આવી જાય છે. રાઈટ ટૂ બી ફર્ગોટન એટલે...
મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞ દેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન...
જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને ભવિષ્યવાણી ભાખી હતી કે તેમના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ પૂરાં થશે તે પછી જૈન શાસનનો...
જન્માષ્ટમીનો ઉત્સવ આ વખતે એક બીજા કારણોસર ચર્ચામાં રહ્યો. કાશ્મીરમાં ૩૨ વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો એવી તસવીરો, વીડિયોઝ સોશ્યલ મીડિયા...
સંતરામપુર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં રવિવારે પાણીની સપાટી 390 ફુટ 10 ઈંચ જોવા મળતી હતી. આ ડેમમાંથી ચરોતરમાં સિંચાઇ માટે બારેમાસ...
આણંદ : આણંદ અને વિદ્યાનગર પાલિકા દ્વારા લાંભવેલ ડમ્પીંગ સાઇટ ખાતે ટનબંધ કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાને રિસાયકલ કરવા માટે ગયા...
આણંદ : પેટલાદમાં રેડીમેટ કપડાંનો હોલસેલ વેપાર કરતાં દુકાનદારને અમદાવાદના શખસે રૂ.3.19 લાખનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર પ્રમાણે દુકાનદારે માલ મોકલી...
આણંદ : ‘૨૧મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે તેમ છે. ૨૧મી જ્ઞાનની સદીમાં જે શિક્ષિત...
નડિયાદ: નડિયાદ તાલુકાની વાલ્લા શાળા આઝાદીનો અમૃત મહોત્સવ નોખી અનોખી અને પ્રેરક રીતે ઉજવી રહી છે. વાલ્લા ગામ અને નડિયાદ વિસ્તારના ૭૫૦...
વડોદરા: વાડી પોલીસ મથકના નાઈટ રાઉન્ડની ડયુટીમાં 12 કર્મચારીઓ સાથે વ્હાલા નિતી અને ઉચ્ચસ્તરે લાગવગ ના હોય તેમને દવલા નિતી અપનાવાતી હોવાના...
વડોદરા : કલ્યાણ બાગ ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી બંગલામાં મધરાતે વિદેશી શરાબના જંગી જથ્થાનું કટીંગ કરતા સમયે જ પીસીબીની ટીમે દરોડો પાડ્યો...
વડોદરા : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજનાર હોય. ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેમાં શૈલેષ પટેલની...
વડોદરા : વિશ્વ શિક્ષક દિવસે રજામાં મજા કરવાના બદલે ભાયલી સ્થિત વણકરવાસના બાળકોએ વિશ્વ શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી હતી.બાળકોએ વડોદરા સેન્ટ્રલ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય પહેલા જ ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (main coach ravi shastri)નો કોરોના ટેસ્ટ પોઝિટવ (corona positive) આવ્યો હતો અને તેના કારણે તેમની સાથે સંપર્કમાં રહેલા સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યોએ પણ આઇસોલેટ (Isolate) થઇ જવાની ફરજ પડી હતી.
બીસીસીઆઇ (BCCI)એ રવિવારે આ વાત જાહેર કરી હતી પણ સાથે જ એવી ખાતરી પણ ઉચ્ચારી હતી કે હાલ ચાલી રહેલી ચોથી ટેસ્ટ પર તેના કારણે કોઇ જોખમ નથી. 59 વર્ષિય શાસ્ત્રી લેટરલ ફ્લો ટેસ્ટ (રેપિડ એન્ટિજેન ટેસ્ટ)માં પોઝિટિવ આવ્યા પછી હવે તેમનો અને અન્ય સાથીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તેમણે આઇસોલેટ રહેવું પડશે. શાસ્ત્રીની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાયો છે અને તેઓ તમામ ટીમ હોટલમાં રહેશે અને ટીમ ઇન્ડિયાની સાથે તેઓ ત્યાં સુધી પ્રવાસ નહીં કરે જ્યાં સુધી મેડિકલ ટીમ તેમને ક્લિયર નહીં કરે.

ભારતીય ટીમના બાકીના સભ્યોના ગઇકાલે રાત્રે અને એક આજે સવારે એમ બે ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામનો એ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેના કારણે ઓવલમાં રમાતી ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમતને આગળ ધપાવવાને મંજૂરી મળી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીસીસીઆઇની મેડિકલ ટીમે ગઇકાલે સાંજે શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટવ મળ્યા પછી અગમચેતીના કારણોસર મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ અરૂણ, ફિલ્ડીંગ કોચ શ્રીધર અને મુખ્ય ફિઝિયો નીતિન પટેલને આઇસોલેશન પર મોકલી દીધા છે. ભારતીય ટીમ મંગળવારે માન્ચેસ્ટર જવા રવાના થશે અને જો આ ચારેયના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓ ટીમ સાથે જઇ શકશે અથવા તો તેમણે 10 દિવસનો આઇસોલેશન પીરિયડ પુરો કરવો પડશે. તે પછી બે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેઓ ટીમ સાથે જોડાઇ શકશે.

શાસ્ત્રીનો જેમાં પોઝિટિવ આવ્યો તે લેટરર ફ્લો ટેસ્ટના પરિણામ એટલા સચોટ નથી હોતા
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી જે ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે તે લેટરલ ફ્લો ટેસ્ટના રિઝલ્ટ એટલા સચોટ નથી હોતા કારણકે તે એક જાતના રેપિડ એન્ટીજન ટેસ્ટ જ હોય છે. ભારતીય ટીમના તમામ સભ્યોને જાતે જ પોતાનો ટેસ્ટ કરવા માટે તેની કિટ આપવામાં આવી છે. ઋષભ પંતને કોરોના થયા પછી ટીમના દરેક સભ્યએ દરરોજ લેટરલ ફ્લો ટેસ્ટ કરવો પડે છે.
રવિ શાસ્ત્રીને ટીમ હોટલમાં યોજાયેલા બુક લોન્ચ કાર્યક્રમ પછી હળવા લક્ષણ અનુભવાયા હતા
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ટીમ હોટલમાં જ યોજાયેલા એક બુક લોન્ચીંગ કાર્યક્રમમાં સામેલ થયા પછી આ બિમારીના થોડા લક્ષણ અનુભવાયા હતા. આ કાર્યક્રમમાં બહારના મહેમાનોને આવવાની મંજૂરી હતી. બીસીસીઆઇના સૂત્રએ કહ્યું હતું કે બ્રિટનમાં કોઇ પ્રતિબંધ નથી અને આ કાર્યક્રમમાં બહારથી પણ મહેમાનો આવ્યા હતા, ત્યાંથી શાસ્ત્રીને આ બિમારી વળગી હોવાની સંભાવના છે.