નવી દિલ્હી (New Delhi): ભીમા કોરેગાંવ હિંસા કેસમાં (Bhima Koregaon Case) બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર 81 વર્ષીય વર્વરા રાવને (Varavara Rao) 6 મહિનાના...
વડા પ્રધાન મોદીની દાઢી (PM Modi’s beard) સોશિયલ મીડિયા ખુબ જ ચર્ચામાં રહે છે, પરંતુ વડા પ્રધાન મોદીની દાઢી રાજકીય વર્તુળોમાં પણ...
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Indore, MP) એક માર્ગ અકસ્માતમાં (car accident) છ મિત્રોનું મોત નીપજ્યું હતું. તેઓ પાર્ટી કર્યા પછી પરત ફરી રહ્યા...
સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો છે. જેમાં ભાજપ પહેલા તો આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે, અને...
નવી દિલ્હી (New Delhi): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries- RIL) એ તેના બિઝનેસમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ મુજબ હવે તેનો ઓ...
વડોદરા, તા.રર 47.84 ટકા મતદાન સાથે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ છે. વડોદરાના ઉમેદવારોનું ભાવી ઈવીએમ માં કેદ છે.મંગળવારે તારીખ 23મી...
SURAT : ચેમ્બર દ્વારા ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનારને સંબોંધતા એક્સપર્ટ પ્રિયાંશ શાહે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે થયેલાં મતદાનમાં માત્ર 47.84 ટકા મતદારોએ જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં...
વડોદરા; વડોદરા શહેર નજીક આવેલા પદમલા હાઈવે ઉપર ટેન્કર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી નંદેસરી જઈ રહેલી ટેન્કરે...
ભારતનો કોઈ પણ નાગરિક સરકારના વહીવટ હેઠળની બેન્કમાં પોતાની મહેનતની કમાણી મૂકતો હોય છે ત્યારે તેવા વિશ્વાસ સાથે મૂકતો હોય છે કે...
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવનેક ારણે ભીંસમાં મુકાઇ છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી પેટ્રોલ-ડીઝલમાં પ્રજાને કોઇ રાહત આપી શકી...
લખચોરાસી સજીવો પૈકીનાં માનવજીવોને સોશ્યલ એનીમલ તરીકે માન્ય રાખીને હવે એને પણ અનટચેબલમાં ટચસ્કીનવાળા સ્માર્ટ વિજાણું માધ્યમો જે રીતે સોશ્યલ મીડિયામાં ગૃપમાં...
ડો. આંબેડકરે બનાવેલા બંધારણનું મહત્ત્વ ઘણું જ છે. બાબાસાહેબ આંબેડકરના પ્રદાનને સલામ મારવી પડે. આંબેડકરે આટલું અપમાન સહન કર્યા છતાં તેઓ દેશના...
ત્રણ વર્ષ પહેલાંની વાત છે. ગોપીપુરા સુભાષચોક ખાતે આવેલી ખૂબ જુની નેશનલ લોન્ડ્રીમાં હું બઠો હતો. એટલામાં એક દિગંબર જૈન સંત એમના...
ગુજરાતમાં વાહનની ટકકર થવાની રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધરો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં ૭૨૮ (સાતસો અઠયાવીસ) રાહદારીઓના મૃત્યુ...
તા. 2.2.21ના દિને પાના નં. 12 ઉપર આપણા ગુજરાતમિત્રે સમાચાર આપ્યા… આ લો, દારૂના અડ્ડાનું લિસ્ટ, પગલા ભરો. નવસારીના અંબાડા ગામના લોકોએ...
સગવડો વધતા આપણે શારીરિક અને માનસિક રીતે લકવાગ્રસ્ત થઇ ગયા. ગૃહ ઉપયોગી સાધનો ખોટકાય એટલે જાણે મોતિયા મરી ગયા. વોશિંગ મશીન, ડીશ...
એક યુવતીના લગ્ન થયા,પોતાનું શહેર છોડી તે પતિ સાથે બીજા શહેરમાં રહેવા ગઈ તે પોતાના શહેરમાં એક ટીચરની સરસ જોબ કરતી હતી,નવા...
લોકોને હસાવવાં એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની...
શિક્ષણ કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે પણ શિક્ષણ સુવિધાના નામે આપણે ત્યાં ચૂંટણી લડાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. દિલ્હીમાં...
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા ઘણા દિવસથી રોજે રોજના ધોરણે સતત વધી ગયા છે અને કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ લિટરે...
[ditty_news_ticker id=”6881″] સુરતમાં બીજેપીની સૌથી વધુ પેનલ જીત તરફ વોર્ડ નંબર 18, 22, 24, 26, 28,30 બીજેપી પેનલ વોર્ડ નંબર-29 બીજેપી પેનલ...
ગુજરાતના ભરૂચ (BHARUCH) જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કેમિકલ કંપની યુપીએલ -5 પ્લાન્ટમાં વિસ્ફોટ (EXPLOSION)થી...
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરના ફ્રેન્કલીન સ્ટ્રીટમાં આવેલું એક ૧૩૯ વર્ષ જુનું બે માળનું મકાન હવે એક નવું સરનામું ધરાવે છે. તેને આખે...
દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં...
શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ફરીવાર કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોકમાં તબક્કાવાર...
સુરત મહાપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હતા. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે કોરોનાના કેસ વધી ગયા...
અમેરિકામાં સખત શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરહદે આવેલ નાયગરા ધોધનું પાણી પણ કેટલીક હદે થીજી ગયું હતું અને...
ડેનેવરના આકાશમાં શનિવારે એક હોનારત સર્જાય તેવું ફેલ્યોર સર્જાયું તેના પછી અમેરિકાના ફેડરલ એવિએશન નિયંત્રકે ત્યાંની યુનાઇટેડ એરલાઇન્સને તેના તેવા તમામ બોઇંગ-૭૭૭...
સોમવારે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ રીતે ‘ અયોધ્યામય’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અયોધ્યામાં વિકાસ...
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
પશ્ચિમ રેલવેએ ભારે કરી, રૂટ જાહેર કર્યા વિના જ સ્પેશ્યિલ ટ્રેન એનાઉન્સ કરી દીધી!
મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
હાર શું છે?
જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
નવી દિલ્હી (New Delhi): ભીમા કોરેગાંવ હિંસા કેસમાં (Bhima Koregaon Case) બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર 81 વર્ષીય વર્વરા રાવને (Varavara Rao) 6 મહિનાના જામીન સોમવારે આપ્યા છે. રાવની તબિયત ખરાબ હોવાને કારણે તેમને જામીન મળ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે રાવને આગામી 6 મહિના સુધી મુંબઈ એનઆઈએના અધિકારક્ષેત્રમાં રહેવું પડશે અને તેમને તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે તેમણે ઉપલબ્ધ રહેવુ પડશે. કોર્ટે તેમને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવા કહ્યું છે. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં રાવની પહેલી વાર ઓગસ્ટ 2018 માં ધરપકડ કરવામાં આવી હતી.
વર્વરા રાવની નવી મુંબઈની તલોજા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. થોડા દિવસો પહેલા તેમની તબિયત લથડતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની તબિયત અસ્વસ્થ હોવાના સંદર્ભેર તેમના વતી જામીન અરજી કરવામાં આવી હતી. જો કે, તબિયતમાં સુધારણા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કોર્ટને તેમની અરજી ફગાવી દેવાની વિનંતી કરી હતી.
એજન્સીએ કહ્યું હતું કે તેમની (રાવની) હાલત સ્થિર છે. એનઆઈએ તરફથી હાજરી આપતા એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે રાવના નાણાવટી હોસ્પિટલમાંથી આ મહિનાની શરૂઆતમાં મેળવેલ મેડિકલ રિપોર્ટ્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. હોસ્પિટલના અહેવાલો અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. હાઇકોર્ટ રાવને લગતી ત્રણ અરજીઓની સુનાવણી કરી રહી હતી. એક અરજીમાં રાવના સંપૂર્ણ તબીબી રેકોર્ડ પ્રદાન કરવા વિનંતી કરવામાં આવી છે. બીજી અરજીમાં રાવને તબીબી આધારો પર જામીન આપવાની અપીલ કરાઇ હતી. ત્રીજી અરજીમાં રાવની પત્ની હેમલતાએ તબીબી સંભાળના અભાવને કારણે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.
આ કેસ 31 ડિસેમ્બર 2017 ના રોજ પૂણેમાં યોજાયેલી એલ્ગર પરિષદના (Elgar Parishad) કોન્ફરન્સમાં ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે વર્વરા રાવના ભાષણ પછી બીજા દિવસે ભીમા કોરેગાંવ યુદ્ધ મેમોરિયલ નજીક હિંસા ફાટી નીકળી હતી. પોલીસનો દાવો છે કે આ પરિષદનું આયોજન એવા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમના કથિત રીતે નક્સલવાદીઓ સાથે સંબંધ છે. વરવરા રાવ કવિ અને લેખક (poet, writer) છે. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ઑગસ્ટ 2018 માં પહેલીવાર તેની ધરપકડ કરવામાં આવી હતી. રાવ 1957 થી કવિતાઓ લખી રહ્યા છે. ઑક્ટોબર 1973 માં ઇન્ટર્નલ સિક્યુરિટી મેન્ટેનન્સ એક્ટ (MISA) હેઠળ કટોકટી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.
1986 ના રામનગર કાવતરું કેસ સહિતના વિવિધ જુદા જુદા કેસોમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને છૂટા કરવામાં આવ્યા હતા. 2003 માં તે ષડયંત્રના કેસમાં નિર્દોષ છુટી ગયા હતા અને 2005 માં ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યો હતો. તે નક્સલવાદીઓનો (Naxals) સમર્થક હોવાનું માનવામાં આવે છે. રાવ પર અનેક વખત નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.