Entertainment

‘માનુષી’ને વિકીનું ‘કૌશલ’ જ બચાવી શકશે!

સમ્રાટ પૃથ્વીરાજ’ નિષ્ફળ ગઇ તો તેની સૌથી વધુ નિરાશા માનુષી છિલ્લરને થઇ હતી. અક્ષયકુમારને તો તેની લાંબી કારકિર્દીમાંની આ એક ફિલ્મ હતી. તેને નિષ્ફળતા પોસાય શકે, માનુષીને નહીં. એક તો એ ફિલ્મે બનવામાં પણ ઘણો સમય લીધો હતો. ચુલાપર કલાકો સુધી રાંધેલું ધાન ખાવા બેસો ત્યારે ખાવા જેવું ન નીવડે તો પેલા કલાકો નિષ્ફળ ગયા કહેવાય. પણ તેને બીજી અને હકીકતે કારકિર્દીની ત્રીજી ફિલ્મ ‘તહેરાન’ મળી ગઇ છે. અરુણ ગોપાલન દિગ્દર્શીત આ ફિલ્મમાં તે જોહન અેબ્રાહમ સાથે આવશે. એ એક એકશન થ્રીલર ફિલ્મ છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’માં તેણે સંયકત તરીકે બ્યુટી બતાવવાની હતી હવે આ એકશન થ્રીલર તેને કેવી બતાવે તે ખબર નથી. ‘તહેરાન’ની તો રિલીઝ ડેટ પણ જાહેર થઇ ચુકી છે અને આવતા વર્ષના આરંભે 26મી જાન્યુઆરીએ રજૂ થશે. એ પહેલા વિકી કૌશલ સાથેની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ રજૂ થશે અને તેપણ યશરાજ ફિલ્મની જ છે. એ ફિલ્મનું શૂટિંગ હમણાં પૂરું થયું છે. માનુષીને આશા છે કે યશરાજ સાથેની પહેલી ફિલ્મ નિષ્ફળ ગઇતેની વસુલાત બીજી ફિલ્મમાં થઇ જશે. ‘ધૂમ’ સિરીઝની ત્રણ ફિલ્મોની કથા-પટકથા લખનાર વિજય ક્રિષ્ન આર્યની દિગ્દર્શક તરીકે જે ત્રણ ફિલ્મો આવી તેમાં છેલ્લી ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’માં તે ખૂબ માર ખાઇ ગયો હતો એટલે તેણે પણ પુરી મહેનત કરી છે.

માનુષીએ કોઇ સાથે જોડી બનાવી નથી અને આમ પણ કોઇ સાથે ફિલ્મ સફળ જાય પછી જોડી બનાવવી હોય તો બને. માનુષી માટે તો આ આરંભ છે. તે બહુ બોલકીય નથી એ બોલકી હોય તો પણ લકો વાત તો સફળ વ્યકિતની સાંભળે. એટલે હમણાં કામ પર જ ધ્યાન આપે છે. આ ફિલ્મ કયારની રજૂ થઇ હોત પણ જૂદા જૂદા કારણે અટવાઇ ગઇ. જો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સફળ રહી હોત તો તેની પાછળ જ આ ફિલ્મ રજૂ થઇ હોત. મોટા બેનર કે જે એકથી વધુ ફિલ્મો સાથે બનાવતા હોય તે રિલીઝની યોજના બદલતા હોય છે. જે નિર્માતા હાથ પર એક જ ફિલ્મ લઇને ચાલે તેને એવું ન પોસાય. પણ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ એક કોમેડી ફિલ્મ છે એટલે વિકી કૌશલ સાથે માનુષીની પણ કસોટી થશે. •

Most Popular

To Top