Charchapatra

હવે દિલ્હીમાં ધરણાં- પ્રદર્શન આંદોલન પર પ્રતિબંધ મુકો….

26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની શર્મ અનુભવે છે. લાલ કિલ્લો જે ભારતની આઝાદીનું પ્રતિક છે. જેની આન-બાન-શાન તેની આત્માને જે કુઠારાઘાત આવ્યા છે. દેશ સદીઓ સુદી ભુલી શકશે નહિ. આવા આંદોલન એ દેશ માટે ખતરનાક છે અને આવા આંદોલનો જે ચલાવે છે જે ટેકો આપે છે એ આનાથી વિશેષ ખતરનાક છે આ આંદોલનો દેશ વિરૂધ્ધ ષડયંત્ર જ કહેવાય. ભવિષ્યમાં આવા આંદોલનોને સરકારશ્રીએ પરવાનગી જ ન આપવી જોઇએ.
સુરત – ડો. પ્રવિણચંદ્ર જે. રાજાજોષી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top