Entertainment

માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું નિધન, 91 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhur Dixit) આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું (Snehlata Dixit) નિધન થયું છે. આજે સવારે 8.40 કલાકે અંતિમ શ્વાસ લઈને અભિનેત્રીની માતાએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. અભિનેત્રીને તેની માતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે વરલીના સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે
માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતની ઉંમર 91 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે આજે સવારે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા સ્નેહલતાના અંતિમ સંસ્કાર વરલીમાં બપોરે 3.40 વાગ્યે કરવામાં આવશે. જો કે અભિનેત્રીની માતાના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

માધુરી તેની માતાની નજીક હતી
માધુરી દીક્ષિત તેની માતાની ખૂબ નજીક હતી. ગયા વર્ષે, અભિનેત્રીએ જૂનમાં તેની માતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેની માતાના જન્મદિવસ પર તેની ઘણી તસવીરો શેર કરી હતી. તસ્વીરોની સાથે માધુરીએ તેની માતા માટે હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું- હેપ્પી બર્થ ડે. કહેવાય છે કે માતા દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આ બિલકુલ સાચું છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે કંઈ શીખવ્યું છે તે મારા માટે સૌથી મોટી ભેટ છે.

સ્નેહલતાનું પહેલું રેકોર્ડિંગ
2013 માં માધુરીની માતા ‘ગુલાબ ગેંગ’ માટે એક ગીત રેકોર્ડ કરવા માટે તેની સાથે જોડાઈ હતી. આ ઘટનાનું વર્ણન કરતાં, ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ કહ્યું, “જ્યારે અમે ફિલ્મમાં ગાવા માટે માધુરીનો સંપર્ક કર્યો, ત્યારે તે ખુશીથી સોન્ગ રેકોર્ડ કરવા સંમત થઈ ગઈ. જ્યારે તે રેકોર્ડિંગ માટે આવી ત્યારે તે તેની માતા સાથે આવી અને અમને જાણવા મળ્યું કે તેની માતા ખૂબ સારી ગાયિકા છે. તેથી અમે તેની માતાને પૂછ્યું કે શું તે ગાઈ શકે છે. આખરે, અમે માધુરી અને તેની માતા બંનેને ફિલ્મમાં ગીત ગાવાનું કહ્યું હતું.

Most Popular

To Top