અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
સુરત : ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટ અને લોધીકામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાત પર છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લાવનાર ડિપ ડિપ્રેશનની સિસ્ટમ હાલમાં પાટણથી 10 કિમી દૂર ગુજરાત – પાક બોર્ડર પર સ્થિર રહેલી છે. જે પશ્વિમ – દક્ષિણ – પશ્વિમ દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમનો વ્યાપ એટલો મોટો છે કે તેણે આખુ ગુજરાત આવરી લીધુ છે.રાજયમાં રવિ, સોમ અને મંગળવાર સુધીના ત્રણ દિવસની અંદર 15 લોકોનું મૃત્યુ થયુ છે. જયારે 1700 લોકોનું રેકસ્યૂ કરાયુ છે. એકલા ગાંધીનગરના દહેગામ ખાતે બે તળાવ ઓવર ફલો થઈ જતાં , નીચાણવાળા વિસ્તારમાંથી 108 લોકોને બચાવી લેવાયા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ , રાજયમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ માટેનું રેડ અલર્ટ જારી કરાયુ છે. જેમાં ખાસ કરીને ખેડા , અમદાવાદ, આણંદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર, વડોદરા , છોટા ઉદેપુર , ડાંગ , તાપી, સુરત , નર્મદા, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , સરેન્દ્રનગર , રાજકોટ , જામનગર, પોરબંદર , જુનાગઢ , અમરેલી, ભાવનગર, મોરબી , દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ , કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ભારે વરસાદથી 15 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ ભારે વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તેવામાં જુદા જુદા બનાવોમાં 15 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ ગઈકાલે જન્માષ્ટમીએ ગાંધીનગરના કલોલ શહેરમાં એક મકાનની દિવાલ પડી જતા બે વ્યક્તિઓનું દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આણંદના તારાપુર નજીકના ઈસરવાડા ગામે તેમજ બોરસદના સિસ્વા ગામે પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ખેડાના અલીણા ગામે એક મકાનની દિવાલ ઘસી પડતા એક વ્યક્તિ દટાઈ જતા મૃત્યુ પામ્યું છે, તેમજ વડોદરાના સાવલી ગામે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ ઉપરાંત હળવદ તાલુકાના ઢવાણા ગામે ધસમસ્તા પાણીમાં એક ટ્રેક્ટર ડૂબી જતાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પૈકી પાંચ વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે પાણીના પ્રવાહમાં રીક્ષા તળાઈ જ ગઈ હતી. આ રીક્ષામાં બેઠેલ 5 વ્યક્તિઓ પૈકી એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેવી જ રીતે મળતી માહિતી મુજબ બુટાવાડા ગામ પાસેની એક નદીમાં એક વ્યક્તિ તળાઈ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.અમદાવાદમાં પણ મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. આમ રાજ્યભરમાં જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે તા.27મી ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટમાં 8 ઈંચ , લોધીકામાં 8 ઈંચ , રાજકોટના કોટડા સાંગાણીમાં 8 ઈંચ ,દ્વારકાના કલ્યાણપુરમાં સાડા સાત ઈંચ , ખંભાળીયામાં સાડા સાત ઈંચ , જામનગરમાં 7.3 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ , પોરબંદરના રાણાવાવમાં 6.6 ઈંચ , કાલાવાડમાં 6.5 ઈંચ , પોરબંદરમાં 6 ઈંચ , જામજોધપુરમાં 6 ઈંચ , લાલપુરમાં 5.4 ઈંચ , ગોંડલમાં 5.3 ઈંચ , દ્વારકામાં 5 ઈંચ , જામકંડોરણામાં 4.7 ઈંચ , ધોરાજીમાં 4.7 ઈંચ , ચોટીલામાં 4 ઈંચ , વિસાવદરમાં 4 ઈંચ , કેશોદમાં 4 ઈંચ , નડિયાદમાં 4 ઈંચ , વંથલીમાં 4 ઈંચ , વાંકાનેરમાં 4 ઈંચ , મહુધામાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 112 તાલુકાઓ એવા છે કે જયા 1થી 8 ઈંચ જેટલો વરસાદ થયો છે.
જન્માષ્ટમીએ ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન એટલે કે જન્માષ્ટમીએ મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.