National

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી

PM Modi Meets President Ram Nath Kovind At Rashtrapati Bhavan

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. પંજાબની (Punjab) વર્તમાન પરિસ્થિતિને જોતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સુરક્ષા (Security) વ્યવસ્થાના ઉચ્ચતમ ધોરણો ફરજિયાત હતા. 

પ્રોટોકોલ અનુસાર પીએમના કાફલામાં મુખ્ય સચિવ અથવા ડીજીપીની કાર સામેલ થવી ફરજિયાત છે. જોકે, સીએસ કે ડીજીપી કે તેમના પ્રતિનિધિઓ પીએમના કાફલામાં જોડાયા નહોતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં આ વાત કહેવામાં આવી છે. તો આ તરફ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ઉણપને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદી જાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા છે. 

સુપ્રીમમાં કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં ખામી સ્પષ્ટપણે ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી. સાથે જ તે રાષ્ટ્રીય સુરક્ષા અને પંજાબની વર્તમાન સરકારની ભૂમિકા પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંઘે જણાવ્યું હતું કે વડા પ્રધાન ફિરોઝપુરમાં એક સભાને સંબોધવાના હતા, પરંતુ તેમની સુરક્ષામાં ઘટાડો થયો હતો. “પંજાબની પરિસ્થિતિને જોતાં, ક્ષતિની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય,” તેમણે કહ્યું. પંજાબ સરકારની આ ગંભીર ભૂલ હતી. રાજ્યની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સંપૂર્ણ તપાસ થવી જોઈએ એવી માંગ ઉઠી છે.

Narendra Modi: PM Modi to meet President Kovind in evening to stake claim  to form new govt - The Economic Times

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિએ પંજાબમાં થઈ રહેલી ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે પીએમ મોદી રાષ્ટ્રપતિને મળશે અને તેમને સમગ્ર ઘટનાની જાણકારી આપશે. આ સિવાય સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક પણ આ મુદ્દે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષા અને ઘટના અંગે ચર્ચા થઈ હતી.

આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ઉપરાષ્ટ્રપતિના ખાતાએ ટ્વિટ કર્યું, ‘ઉપરાષ્ટ્રપતિએ ગઈ કાલે પંજાબની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે સુરક્ષામાં ખામી વિશે વાત કરી. તેમણે ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે. 

શું છે સમગ્ર મામલો?

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં એક રેલીમાં સામેલ થવાના હતા. આ રેલીમાં તેઓ 42,750 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ તેમનો એક કાફલો 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. ખેડૂતોના સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનને કારણે આ ઘટના બની હતી. પીએમ મોદીના કાફલાને ફસાવીને સુરક્ષામાં ગંભીર ખામીનો મામલો ગણવામાં આવ્યો અને ભાજપે કોંગ્રેસની પંજાબ સરકાર પર આકરા પ્રહારો કર્યા. આ પહેલા ગુરુવારે સવારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેની સુનાવણી શુક્રવારે થવા જઈ રહી છે. આ ઉપરાંત સુરક્ષામાં ક્ષતિની તપાસ માટે પંજાબ સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Most Popular

To Top