Charchapatra

પાકિસ્તાનમાં જાવેદ અખ્તરે કહેવાનું કહી દીધું

હિન્દી ફિલ્મની જાણીતી જોડી સલીમ જાવેદના જાવેદ અખ્તર સાહેબે એમની પાકિસ્તાનની તાજેતરની મુલાકાત દરમિયાન જાહેરમાં જરા પણ ડર્યા વિના પાકિસ્તાનને એની ધરતી પરથી સચ્ચાઈવાળી વાત તેમની ઊંઘ હરામ કરી નાંખી. એમને ભારતનો મહિમા કરતાં કહ્યું કે સમય સમય પર પાકિસ્તાનના કલાકારોને અમે બોલાવીને આમંત્રણ આપીને જાહેરમાં કાર્યક્રમ કર્યા છે. તેઓને ફિલ્મી દુનિયામાં પણ અભિનય કરવાની, ગીત ગાવાની તક પૂરી પાડી છે. શું તમે લતા મંગેશકર જેવી ગાયિકાના કાર્યક્રમનું આયોજન કર્યું છે? કોઈ પણ જાતનું પાકિસ્તાન ક્યારેય કદર કરવાની વાત તો ઠીક, પણ હંમેશા ઝેર ઓકતું રહ્યું છે. એમણે મુંબઈ હુમલાના 26/11ના કાવતરાખોરોને માટે પણ કડક ભાષામાં વાત કરી. તમારા દેશમાં આ બધા હજુ આજે પણ મુક્તપણે ફરી રહ્યા છે. લાહોરમાં ‘ફેઝ અહેમદ ફેઝ’ની યાદગીરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેઓએ કોઈ પણ જાતની દિલચોરી રાખ્યા વિના ખોંખારીને કડક સ્પષ્ટ વાત કહીને પાકિસ્તાનની આંખ ખોલવાની તક ઝડપી લીધી હતી. હાજર રહેલાં શ્રોતાઓએ ચિચિયારીઓ પાડીને તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા હતા.
સુરત     -જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top