SURAT

સુરતમાં હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરૂદ્ધ હવે ફોજદારી થશે, આ છે તંત્રની તૈયારી

સુરત: (Surat) કોરોના પોઝિટિવ હોવા છતાં કેટલાક દર્દીઓ દ્વારા હોમ આઈસોલેશન (Home Isolation) તેમજ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરીને ઘરની બહાર ફરવામાં આવતું હોવાથી હવે મહાપાલિકા દ્વારા આવા દર્દીઓને ટ્રેસ કરવા માટે મોબાઈલ ટાવરનો ઉપયોગ કરવામાં આવશે. આવા દર્દીઓ સામે પોલીસ ફરિયાદ (Police complaint) પણ નોંધાવવામાં આવશે. આવા કોરોના પોઝિટિવની ગાઈડલાઈનનો ભંગ કરનારની જાણ કરવા માટે મનપા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવા પાંચ દર્દીઓ સો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઘણા કેસમાં દર્દી પકડાઈ જતાં ફરી ઘરમાં આવી જઈ પોતે ઘરમાં જ છે તેવી દલીલો કરતાં હોવાથી મનપા દ્વારા કડક કાર્યવાહી કરી શકાતી નહોતી. જેથી હવે મોબાઈલ ટાવર દ્વારા લોકેશન ટ્રેસ કરીને આવા દર્દીની સામે ફોજદારી કાર્યવાહી (Criminal proceedings) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે, ત્યારે એક બાજુ કોરોનાના દર્દીઓમાં સતત ઉછાળો અને બીજી બાજુ સારવાર માટે હોસ્પિટલમાં જવું પડે તો બેડની સતત ઘટી રહેલી સંખ્યાને કારણે આરોગ્યતંત્ર માટે પડકાર ઉભો થયો છે. તેમજ શહેરમાં ભયનો માહોલ છવાયો છે.

શહેરમાં 603 દર્દીઓ નોંધાયા

રવિવારે શહેરમાં 545 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ સોમવારે ફરી ઉછાળો આવ્યો હતો અને 58 દર્દીઓના વધારા સાથે એક જ દિવસમાં નવા 603 દર્દીઓ નોંધાયા હતાં. આ સાથે શહેરમાં કુલ દર્દીઓનો આંક 52878 પર પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં સાત મોત નોંધાતા મૃતાંક 915 પર પહોંચી ગયો છે. સતત વધી રહેલા દર્દીઓના પગલે શહેરમાં રિકવરી રેટ પણ છેલ્લા એક માસમાં 98 ટકાથી ઘટતો ઘટતો 93.59 ટકા થઇ ગયો છે.

  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 65
  • વરાછા-એ 63
  • વરાછા-બી 62
  • રાંદેર 87
  • કતારગામ 79
  • લિબાયત 80
  • ઉધના 60
  • અઠવા 107

શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે મનપાના આરોગ્યતંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતા બેડ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા હવે ફરીથી મથામણ શરૂ થઇ છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર ઉપરાંત હવે અગાઉની જેમ હોટલો અને ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં છેલ્લા બે દિવસમાં 15 હોટેલોનો કોવિડ સેન્ટર જાહેર કરી દેવાયા બાદ હવે ખાનગી હોસ્પિટલો સાથે પણ ટાઇઅપ કરવાની તૈયારી કરી દેવાઇ છે. તેમજ કઇ કઇ હોસ્પિટલ સાથે ટાઇઅપ થયું છે તેની જાહેરાત એકાદ દિવસમાં કરી દેવાશે તેવું મનપાના સૂત્રો જણાવી રહ્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top