SURAT

અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા કરવાની આ સમાજ દ્વારા માંગ કરાઈ

વાંકલ: માંગરોળમાં (Mangrol) સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. તાજેતરમાં સુરતના વેસુ ખાતે હિટ એન્ડ રનથી ઉર્વશી ચૌધરી નામની આદિવાસી યુવતીને અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કચડી મારી હતી. જેથી આરોપીને સજા મળે એ માટે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ ઉદેસિંગભાઈ વસાવા સોહેલ જર્મન સહિતના સંખ્યાબંધ આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ એક લેખિત આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપરત કરી ન્યાયની માંગ કરી હતી.

ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણી સોહેલ જર્મને જણાવ્યું કે, નશો કરેલી હાલતમાં ત્રણ વાહનચાલકને અડફેટે લઇ એક આદિવાસી યુવતીનું મોત નિપજાવવા છતાં અતુલ બેકરીના માલિક વિરુદ્ધ ૩૦૪ અ દાખલ કરી સુરત ઉમરા પોલીસે તપાસની ઢીલી નીતિ અપનાવી આરોપીને જામીનમુક્ત કરી દીધો છે. જેથી માનવ વધની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેની ધરપકડ થવી જોઈએ અને ધરપકડ નહીં કરવામાં આવે તો જિલ્લામાં ચાલતી અતુલ બેકરીની દુકાનોને ભીલીસ્તાન ટાઇગર સેના તાળાં મારશે તેમજ આવનારા સમયમાં સુરતની કમિશનર કચેરીનો ઘેરાવ તેમજ ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમો ભીલીસ્થાન ટાઈગર સેના આપશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી પ્રશાસનની રહેશે.

અતુલ વેકરીયા સુરત પોલીસના હાથમાં કેમ નથી આવી રહ્યો?

દારૂનો નશો કરીને પોતાની લક્ઝરી કાર મારફત એક યુવતીને કચડી નાખનાર નશેબાજ અતુલ વેકરીયા હવે પોલીસના હાથમાં આવી રહ્યો નથી. જ્યારે ઘટના બની ત્યારે પોલીસે (Police) તેની સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેને જવાની તક આપી દીધી અને હવે કોર્ટ દ્વારા તેની સામે 304ની કલમ દાખલ કરવા માટે મંજૂરી આપી દેવા છતાં ઉમરા પોલીસને અતુલ વેકરીયાને શોધવામાં જાણે રસ જ નથી. એક દિવસ પહેલા પણ ઉમરા પોલીસ અતુલ વેકરીયાના (atul Vekaria) ઘરે ગઈ હતી અને તે ભુગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો વહેતી કરી હતી પરંતુ સત્ય એ છે કે અતુલ વેકરીયાના અહેસાન તળે પોલીસ હવે તેને હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે તક આપી રહી છે.

પોલીસ ધારે ત્યારે અને ધારે તે ગુનેગારને પાતાળમાંથી પણ શોધી લાવે તેમ છે પરંતુ તેમ છતાં અતુલ વેકરીયા સુરત પોલીસના હાથમાં આવી રહ્યો નથી તે માની શકાય તેમ નથી. અતુલ વેકરીયા ભાજપનો કાર્યકર હોવાની સાથે ભાજપના અનેક નેતાઓ સાથે તેના નજીકના સંબંધો હતાં. જેને કારણે અતુલ વેકરીયાને બચાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top