Gujarat

હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન : રૂપાણીએ વાત કરીને સાંત્વના આપી

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ. એન. મહેતા ઈન્સ્ટી.માં દાખલ કરાયા હતા. ભરતભાઈ પટેલ હાર્દિકની સાથે કપરા સમયમાં પણ સાથે રહેતા હતાં. રવિવારે તેમનું નિધન થતાં ગોતા સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ હાથ ધરાઈ હતી. પુત્ર હાર્દિક પટેલ દ્વારા કોવિડ પ્રોટોકોલ મુજબ પીપીઈ કીટ પહેરીને પિતાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ દુ:ખદ સમાચારની જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલીફન પર વાતચીત કરીને હાર્દિક પટેલને તેમજ પરિવારને સાંત્વના આપી હતી. તાજેતરમાં સપ્તાહ પહેલા હાર્દિક પટેલે ટવીટ્ટ કરીને માહિતી આપી હતી કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તબીબોની સલાહ મુજબ હોમ આઈસોલેટ થયો છું, એટલું જ નહીં મારી ઘરે જ સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.

Most Popular

To Top