National

દેશના સૌથી મોટા બંદૂક લાઇસન્સ કૌભાંડમાં જમ્મુ-કાશ્મીરના ઘણા અધિકારીઓની સંડોવણી

નવી દિલ્હી : સીબીઆઈ (CBI)એ શનિવારે બંદૂક લાઇસન્સ રેકેટ (gun scandle)ની તપાસ કરી હતી કે જમ્મુ-કાશ્મીર (J & K)ના ઘણા જિલ્લા મેજિસ્ટ્રેટ્સે હથિયારોના વેપારીઓ સાથે મળીને 2012 સુધી ગેરકાયદેસર બંદૂક પરવાનો (Illegal licence) જાહેર કર્યો હતો. તેમજ એમ પણ કહ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ દ્વારા પૈસા માટે 2.78 લાખથી વધુ ગેરકાયદેસર ગન લાઇસન્સ જાહેર કરાયા છે. 

માનવામાં આવે છે કે તે આ ભારતનું સૌથી મોટુ શસ્ત્ર લાઇસન્સ કૌભાંડ (Biggest scam of India) છે. એક નિવેદનમાં સીબીઆઈએ કહ્યું છે કે તેઓએ 20 ગન હાઉસ સહિત 40 સ્થળોએ દરોડા પાડ્યા, જ્યાં જમ્મુ-કાશ્મીરમાં બંદૂક લાઇસન્સ રેકેટના મામલે બે આઈએએસ અધિકારીઓ શાહિદ ઇકબાલ ચૌધરી અને નીરજ કુમાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચૌધરી હાલમાં આદિજાતિ બાબતોના સચિવ છે અને તેઓ જમ્મુ-કાશ્મીરના છ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવે છે. તેમનો દાવો છે કે સીબીઆઈ દ્વારા તેમના નિવાસસ્થાનની શોધખોળ દરમિયાન આરોપોને મજબૂત કરવા માટેની કોઈ સામગ્રી મળી નથી, પરંતુ તેમણે કેટલાક કેસોમાં ગેરરીતિઓ સ્વીકારી છે. 

આ કૌભાંડની તપાસ સૌ પ્રથમ 2017 માં રાજસ્થાનના આતંકવાદ વિરોધી ટુકડીએ કરી હતી. તેઓએ અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા લાયસન્સના શસ્ત્રો સાથે જમ્મુ-કાશ્મીરના ગુનેગારોને પકડ્યા હતા. એટીએસએ એ પણ શોધી કાઢયુ હતું કે બનાવટી દસ્તાવેજોના આધારે સેનાના જવાનોના નામે 3,000 થી વધુ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં તત્કાલીન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી-ભાજપ ગઠબંધનની સરકાર પર વિજિલન્સ તપાસની આડમાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે વર્ષ 2018 માં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ તત્કાલીન રાજ્યપાલ એન.એન. વ્હોરાએ આ મામલો સંદર્ભિત કર્યો હતો. અને તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

ભાજપે સીબીઆઈના દરોડાને આવકાર્યા હતા અને દેશભરમાં ગેરકાયદેસર હથિયારો ફેલાવનારા ભ્રષ્ટ કૌભાંડ સામે કાર્યવાહી કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે આ લાઇસન્સ અગાઉની સરકારો દરમિયાન બહાર પડાયા હતા. કોને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું તેના તળિયે સીબીઆઈએ પ્રવેશ કરવો જોઇએ. દેશના જુદા જુદા ભાગોમાં આ લોકો કોણ છે તેમને ખુલ્લા પાડવું જોઈએ.

ગયા વર્ષે માર્ચમાં સીબીઆઈએ કુપવાડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન હજારો લાઇસન્સ જારી કરનારા આઈએએસ અધિકારીઓ કુમાર રાજીવ રંજન અને ઇતરત રફીકીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top