Gujarat

રાજ્ય પર ચાર દિવસ માવઠાનું જોખમ, 2જી મે સુધી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) આગામી તા.2જી મે સુધી માવઠુ (Mavthu) લાવે તેવી જુદી જુદી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની (Rain) શકયતા વધી જવા પામી છે. ખાસ કરીને એક એક સિસ્મટ મધ્ય પાકિસ્તાન – પજાબ પર, એક ટ્રફ રેખા મધ્યપ્રદેશથી તામિલનાડુ સુધી, એક ચક્રવાતી હવાની સિસ્ટમ બિહાર પર સક્રિય થઇ છે. જેના પગલે ગુજરાતમાં આગામી તા.2જી મે સુધી માવઠાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. ખાસ કરીને કચ્છમાં માવઠાની વધુ અસર થવાની સંભાવના છે.

જુદી જુદી ત્રણ ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં આગામી 2જી મે સુધી રાજયના વિવિધ ભાગોમાં માવઠુ થઈ શકે છે. ખાસ કરીને માવઠાની વકીના પગલે ખેડૂતોને ચિન્તા થવા લાગી છે. માવઠાના પગલે બાગયાતી પાકોને નુકસાન થવાની સંભાવના છે. કેરીના પાકને પણ અસર તવાની ભીતિ રહેલી છે.

ગુજરાતમાં હાલમાં સૂકુ વાતાવારણ હોવા છતાં અહીં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે. ખાસ કરીને 2જી મે સુધીમાં રાજયમાં બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે એટલું જ નહીં ગાજવીજની સંભાવના પણ રહેલી છે. જેના પગલે કાચા મકાનો તૂટી પડે તેવી પણ સંભાવના રહેલી છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ , રાજયમાં આગામી 5 દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ યથાવત રહેશે . અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ડીસામાં 37 ડિ.સે., ગાંધીનગરમાં 38 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., ભૂજમાં 37 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ 37 ડિ.સે., અમરેલીમાં 39 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે., રાજકોટમાં 37 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ,સે., અને કેશોદમાં 36 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top