Gujarat

પક્ષ છોડી પ્રજાદ્રોહ કરનારની નેતાઓ સામે કોંગ્રેસનું ‘નવ સંકલ્પ સંમેલન’

અમદાવાદ: કોંગ્રેસ પક્ષ દ્વારા જેને ઓળખ આપવામાં આવી, માન સન્માન આપ્યાં, બાદ પ્રજાદ્રોહ કરનાર નેતા આગેવાનોને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી ખભે બેસાડી જીત અપાવ્યા બાદ, પ્રજાદ્રોહ કરનારા નેતાઓ આગેવાનોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે આવતીકાલ તા. 1 જૂનના રોજ ખેડબ્રહ્માના ઉડવા ખાતે અને 2જી જૂનના રોજ ભિલોડા ખાતે નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top