કોરોના ફરી વિફર્યો : ત્રીજી લહેરના સૌથી વધુ મોત, નવા કેસની સંખ્યામાં પણ ઉછાળો

ગાંધીનગર: રાજ્યમાં (Stat) કોરોનાએ (Corona) થોડાક દિવસ શાંત રહ્યા પછી ફરી માથું ઉચક્યું છે. મંગળવારે (Tuesday) એક જ દિવસમાં ત્રીજી લહેરના સૌથી વધુ 28 દર્દીઓના મૃત્યુ (Dead) થયા છે. તેની સાથે જ વધુ 16608 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 134261 પાર પહોંચી છે.

રાજ્યમાં મંગળવારે કોરોનાથી અમદાવાદ મનપામાં 10 દર્દીઓ સહિત 28 લોકોનો મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદ મનપામાં 10, સુરત ગ્રામ્ય 3, વડોદરા મનપા, સુરત મનપા, જામનગર મનપા- ગ્રામ્યમાં 2-2, જ્યારે મહેસાણા, નવસારી, ખેડા, પંચમહાલ, ભાવનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં મંગળવારે અમદાવાદ મનપામાં 5303, વડોદરા મનપામાં 3041, રાજકોટ મનપામાં 1376, સુરત મનપામાં 1004, વડોદરા ગ્રામ્યમાં 761, સુરત ગ્રામ્યમાં 472, જામનગર મનપામાં 357, ગાંધીનગર મનપામાં 309, ભાવનગર મનપામાં 293, મહેસાણામાં 277, ભરૂચમાં 273, રાજકોટ ગ્રામ્યમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244, વલસાડમાં 238, પાટણમાં 196, બનાસકાંઠામાં 172, ગાંધીનગર ગ્રામ્યમાં 171, સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, ખેડામાં 136, સુરેન્દ્રનગરમાં 124, પંચમહાલમાં 98, જામનગર ગ્રામ્યમાં 89, અમદાવાદ ગ્રામ્યમાં 83, જુનાગઢ ગ્રામ્યમાં 83, તાપીમાં 77, જૂનાગઢ મનપામાં 66, દાહોદમાં 41, ગીર સોમનાથમાં 38, પોરબંદરમાં 27, ભાવનગરમાં 22, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 20, મહીસાગરમાં 16, નર્મદામાં 13, ડાંગમાં 10, અરવલ્લીમાં 9 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં મંગળવારે 17467 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. નવા કેસ વધવાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 134261 થઈ છે. જેમાંથી 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 13406 દર્દીઓ સ્ટેબલ છે. આજે વધુ 28 દર્દીના મૃત્યુ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10302 દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં 2.43 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું
રાજ્યમાં આજે દિવસ દરમ્યાન 2.43 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 65510 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 6007 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 24891 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 29683 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 70579 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 46626 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,67,59,428 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top