World

કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન આપનાર જર્મનીના વિદેશ મંત્રી ભારત પ્રવાસ પર

નવી દિલ્હી: ભારતની (India) મુલાકાતે આવેલા જર્મનીના (Germany) વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે (Annalena Berbock) સોમવારે ગાંધી સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S Jaishankar) સાથે પણ મુલાકાત કરી હતી. બેરબોક સોમવારે બે દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોક સોમવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચી છે. તેણે પોતાના ભારત પ્રવાસ પહેલા ખુલ્લેઆમ ભારતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમનો ભારત પ્રવાસ રોમાંચક રહેશે. બેરબોકે કહ્યું કે આવતા વર્ષની શરૂઆતમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. તેમાં કોઈ શંકા નથી કે 21મી સદીમાં ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ વૈશ્વિક મંચ પર ભારતની નિર્ણાયક ભૂમિકા હશે.

ભારત જતા પહેલા બેરબોકે કહ્યું કે ભારત છેલ્લા 15 વર્ષમાં 40 લાખથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યું છે, જે પ્રશંસનીય છે. આ દર્શાવે છે કે સામાજિક બહુમતીવાદ, સ્વતંત્રતા અને લોકશાહી ભારતમાં આર્થિક વિકાસ, શાંતિ અને સ્થિરતાના પ્રેરક છે. માનવ અધિકારોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવું એ અમારા મુખ્ય એજન્ડાઓમાંથી એક હશે. બેરબોક ભારત સત્તાવાર રીતે G-20 જૂથનું પ્રમુખપદ સંભાળ્યાના થોડા દિવસો બાદ જ ભારતની મુલાકાતે આવવાનું છે.

વૈશ્વિક સ્તરે ભારતની નિર્ણાયક ભૂમિકા
તેમણે કહ્યું કે મારો ભારત પ્રવાસનો મુખ્ય એજન્ડા જળવાયુ પરિવર્તન, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે. બાલીમાં G-20 સમિટ દરમિયાન ભારતે બતાવ્યું છે કે તે વૈશ્વિક સ્તરે નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઘણા આંતરિક સામાજિક પડકારો હોવા છતાં, મજબૂત અર્થતંત્ર અને લોકશાહીની દ્રષ્ટિએ ભારત વિશ્વના ઘણા દેશો માટે રોલ મોડેલ છે. 21મી સદીમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવામાં ભારતની નિર્ણાયક ભૂમિકા હશે તેમાં કોઈ શંકા નથી.

ભારત સરકારે માત્ર G-20 માટે જ નહીં પરંતુ પોતાના લોકો માટે પણ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. જ્યારે પુનઃપ્રાપ્ય ઊર્જાના વિસ્તરણની વાત આવે છે, ત્યારે ભારત ઊર્જા સંક્રમણમાં પહેલાં કરતાં વધુ આગળ વધવા માંગે છે. જર્મની આમાં ભારતની સાથે મજબૂતીથી ઊભું છે. કારણ કે ક્લાઈમેટ ચેન્જની અસર આપણા બધા પર પડી રહી છે. આનાથી યુરોપ અને ભારત બંનેમાં લોકોની આજીવિકા પર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે તેથી અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારી સિવાય ભારત સાથે અમારા આર્થિક, ક્લાઇમેટ અને સુરક્ષા નીતિ સહયોગને વધુ મજબૂત કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે જર્મની ભારત સાથે મોબિલિટી એગ્રીમેન્ટ કરે, જેથી બંને દેશોના લોકો માટે આ ક્ષેત્રમાં સંશોધન કરવામાં સરળતા રહે.

કાશ્મીર પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
ઓક્ટોબર મહિનામાં જર્મની પહોંચેલા જર્મન વિદેશ મંત્રી બિયરબોકે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના સૂરમાં જોડાતા કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિને લઈને જર્મનીની પણ ભૂમિકા અને જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે અમે કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રની વાતચીતનું સમર્થન કરીએ છીએ. ભારતે તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ કાર્યાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને ખાસ કરીને સરહદી આતંકવાદને ખતમ કરવાની જવાબદારી વૈશ્વિક સમુદાયની છે.

Most Popular

To Top