Charchapatra

સ્વચ્છતામાં જ પ્રભુતા

સમગ્ર ભારતમાં 2જી ઓકટોબર 2021 ના રોજ મહાત્મા ગાંધી બાપુની 152 મી જન્મ જયંતી વિવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત રહ્યો. આ અંગે આપણા સૌનું યોગદાન તથા જાગૃતિ અત્યંત જરૂરી છે. સંકલ્પ કરીએ કે મારા ઘર, આંગણ, શેરી, મહોલ્લા તથા કોમ્પ્લેક્ષમાં સ્વચ્છતા જાળવીશ તથા અન્યોને પણ પ્રોત્સાહિત કરીશ. બીજું, સુરતના ઘણા વિસ્તારોમાં હજુ કચરા તથા દુર્ગંધ મારતા કચરા તથા અન્ય વસ્તુઓના ઢગલા જોવા મળી રહ્યા છે. જે સ્માર્ટ સીટી સુરત માટે શોભાસ્પદ નથી. સૂચન છે કે સુ.મ.નગરપાલિકા આરોગ્ય વિભાગ, શહેરી વિસ્તારોમાં ઇન્સ્પેકટરો દ્વારા સત્વરે કરાવી તાત્કાલિક આ ગંદકી દૂર કરે, જેથી આજુબાજુના રહીશોની સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે.
સુરત     – દીપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top