National

યોગીએ કહ્યું- વસ્તી વિકાસમાં અડચણરૂપ છે, નવી જનસંખ્યા નીતિની જાહેરાત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશની વધતી જનસંખ્યા વિકાસ (Development)ના માર્ગમાં સૌથી મોટી અડચણ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જે નવી જનસંખ્યા નીતિ લઈને આવી છે તેની સાથે સમાજના દરેક વર્ગે જોડાવું પડશે. યોગીએ લોકોને અપીલ કરી કે જનસંખ્યા નિયંત્રણ માટે જાગૃતતા જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેનાથી સમાજમાં ખુશાલી આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ પર છેલ્લા ચાર દશકથી ચર્ચા થઈ રહી હતી. દેશની ગરીબીનું એક મુખ્ય કારણ વસ્તી પણ છે. તેમણે કહ્યું કે જે પણ જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બે બાળકોની વચ્ચે અંતર ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, બે બાળકોના જન્મમાં અંતર ન હોવાના કારણે કુપોષણનો ખતરો પણ વધી જાય છે.

સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે ‘વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું મૂળ છે. સમુન્નત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ ‘વિશ્વ જનસંખ્યા દિવસ’ પર વધતી જતી જનસંખ્યા સાથે વધતી જતી સમસ્યાઓ પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લે.

વિકાસમાં વિઘ્ન બને છે વધતી જતી જનસંખ્યા
સીએમ યોગીએ કહ્યું કે ગત 4 દાયકાથી જનસંખ્યા નિયંત્રણ પર ચર્ચા થઇ રહી છે. વધતી જતી જનસંખ્યા ક્યાંક ને ક્યાંક વિકાસમાં વિઘ્ન છે. વધુ જનસંખ્યાથી ગરીબી પણ વધે છે. જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરતાં મને ખુશી થઇ રહી છે. આ નીતિમાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે મને વિશ્વાસ છે કે જનસંખ્યા નીતિના ડ્રાફ્ટને આગળ તમામ વિભાગોને સમન્વય અને સહયોગથી લાગૂ કરવામાં આવશે.

દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે લાભ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2014 માં કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર બન્યા બદ દરેક વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. અમે પણ તેના પર કામ કરી રહ્યા છીએ.

વધતી જતી જનસંખ્યા અસમાનતાનું મૂળ કારણ
સીએમ યોગી આદિત્યાનાથે ટ્વીટ કરીને કહ્યું કે ‘વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાનોનું મૂળ છે. સમુન્ન્ત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ ‘વિશ્વ જનસંખ્યા દિવસ’ પર વધતી જતી જનસંખ્યાથી વધતી જતી સમસ્યાઓના પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લઇએ.

લગ્નના સંબંધમાં કાયદો લાવવાની સાથે સાથે આસામ સરકાર સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ વિભાગ પણ બનાવશે. જેનું ફોકસ તે વિસ્તારોમાં હશે, જ્યાં મુસ્લિમ અપ્રવાસીઓની વસ્તી ઝડપથી વધી રહી છે. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે આ વિભાગ થકી તમામ આસ્થાઓમાં વિશ્વાસ રાખતા લોકોને ફાયદો થશે.

તેઓએ કહ્યું- અમારી આદિવાસી જનતાની પોતાની ભાષા અને માન્યતાઓ છે. પરંતુ, અત્યાર સુધીની સરકારમાં તેમની સંસ્કૃતિને બચાવવા માટે ફાયનાન્સિયલ મદદ નથી કરાઈ. અમે તેમની સંસ્કૃતિને બચાવવા માટે તેઓને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તે અંતર્ગત બોડો, ટી ટ્રાઈબ, મોરન, મોટોક, રાભા અને મિશન સમુદાયની ઓળખ કરી છે.

Most Popular

To Top