Entertainment

નવાઝુદ્દીન સિદ્દકીએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા!

મુંબઈ: બોલિવૂડના (Bollywood) અભિનેતા નવાઝુદ્દીન સિદ્દકી (Nawazuddin Siddiqui) હાલ પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તેની અને તેની પત્ની (Wife) વચ્ચેની લડાઈ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. એકટર અને તેની પત્ની બંને એકબીજા ઉપર આરોપો લગાડી રહ્યાં છે. આવા સમયે ફરીવાર અભિનેતાની પત્ની આલિયાએ નવાઝુદ્દીન ઉપર ગંભીર આરોપો લગાડયા છે. તેણે આ અંગેનો એક વીડિયો (Video) પણ શેર કર્યો છે. જેમાં આલિયા તેના બાળકો સાથે મોડી રાત્રે તેના ઘરની બહાર જોવા મળી રહી છે. તેમજ તે તેના પતિ ઉપર તેઓને ઘરની બહાર કાઢી મુકવાનો આરોપ લગાવે છે. આ અંગે અભિનેતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

નવાઝુદ્દીનની પત્ની આલિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના બાળકો સાથે તેનાં ઘરની બહાર જોવા મળી હતી. આલિયાએ નવાઝુદ્દીન ઉપર આરોપ લગાવ્યો હતો કે તેણે તેઓને તેનાં ઘરમાંથી કાઢી મૂકયાં હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા તેના બે બાળકો શોરા અને યાની સાથે ઘરની બહાર હોય છે. જેમાંથી તેનો છોકરો તેની સાથે તો તેની પુત્રી રડતી હોય ઘરની તરફ જોઈ રહી હતી.

નવાઝુદ્દીને આપ્યું નિવેદન કહ્યું 2016માં મુંબઈમાં આલિયા માટે એક ફ્લેટ ખરીદ્યો હતો
વીડિયોમાં આલિયા દાવો કરતી જોવા મળી રહી છે કે તેની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી, પરંતુ આ ખોટું છે. નવાઝે 2016માં મુંબઈમાં આલિયા માટે એક ફ્લેટ ખરીદ્યો હતો, જે આલિયાએ પોતાની મરજીથી ભાડે આપ્યો હતો. વીડિયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આલિયાના દાવા મુજબ કોઈને પણ પ્રોપર્ટીમાંથી હટાવવામાં આવ્યા નથી અને એ પણ સ્પષ્ટ છે કે બાળકોને ઘરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા નથી.

Most Popular

To Top