Entertainment

બોલિવૂડની એકટ્રેસ જાહ્નવી કપૂર છે ખૂબ જ અંધશ્રદ્ધાળુ, કોઈક ખાસ કાર્યક્રમમાં જાય છે તો કરે છે આ કામ

મુંબઈ: બોલિવૂડની (Bollywood) સુંદર અને પાવરફુલ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગુરુવારે તેણે સોશિયલ મીડિયા (Social Media) પર કાંજીવરમ સાડીમાં (Saree) કેટલીક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું. પરંતુ આ તસવીરો સિવાય જાહ્નવી એક નિવેદન પણ હાલ ચર્ચામાં છે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે જાહ્નવી જયારે કપિલના શો પર પહોંચી ત્યારે તેણે ખુલાસો કર્યો કે તે ખૂબ જ અંધશ્રદ્ધાળુ છે.

પિતા સાથે કપિલના શોમાં પહોંચી જાહ્નવી કપૂર
બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે ‘ધ કપિલ શર્મા શો’ પર પોતાની અંધશ્રદ્ધા વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું તે જ્યારે પણ તે કોઈ ખાસ કાર્યક્રમમાં જાય છે ત્યારે તે તિરુપતિ મંદિરની મુલાકાત લે છે. જણાવી દઈએ કે અભિનેત્રી તેના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે ‘ધ કપિલ શર્મા શો’ પર તેમની ફિલ્મ ‘મિલી’ના પ્રમોશન માટે આવી હતી.

જાહ્નવીએ જણાવ્યું કે તે શા માટે વારંવાર તિરુપતિ મંદિરની મુલાકાત લે છે
જાહ્નવીએ પોતાની ફિલ્મ અને શૂટિંગના અનુભવોની ચર્ચા કરવા ઉપરાંત, પોતાના અંગત જીવન વિશે પણ ખુલાસો કર્યો હતો. જાહ્નવીએ શો પર કપિલને કહ્યું કે તે કેટલીક બાબતો વિશે ખૂબ જ અંધશ્રદ્ધાળુ છે. જાન્હવીએ કહ્યું, “હું અંધશ્રદ્ધાળુ છું. અત્યારે પણ હું સ્ટેજ પર પ્રવેશુ છું તો મારો જમણો પગ પહેલો મૂકું છું. ઉપરાંત, મમ્મી-પપ્પાના જન્મદિવસ, નવા વર્ષ અને અન્ય ખાસ પ્રસંગોએ હું તિરુપતિ મંદિરની મુલાકાત લેવ છું. આ ઉપરાંત ગુરુવારે હું ફકત શાકાહારી ભોજન જ સ્વીકારું છું.”

જણાવી દઈએ કે 25 વર્ષની અભિનેત્રીએ ‘ધડક’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં ભારતીય વાયુસેનાના અધિકારી અને કારગિલ યુદ્ધના અનુભવી ગુંજન સક્સેનાની ભૂમિકા તેણે ભજવી હતી. આ ઉપરાંત તેણે હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ અને ‘ગુડ લક જેરી’માં પણ પોતાનો કમાલ બતાવ્યો હતો. હવે અભિનેત્રી ‘મિલી’માં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે.

Most Popular

To Top