Dakshin Gujarat

ભાવનગર દિવાળી મનાવી સુરત પરત થઈ રહેલા રત્ન કલાકારનુ કોસંબા નજીક અકસ્માતમાં મોત

હથોડા: (Hathoda) સુરત થી દિવાળીનો (Diwali) તહેવાર (Festival) મનાવવા માટે વતન ભાવનગર જઈને દિવાળી મનાવી સુરત પરત થઈ રહેલા રત્નકલાકારને કોસંબા નજીક અકસ્માત નડતા મોત થયું હતું.

ઘટનાની વિગત એવી છે કે મૂળ ભાવનગરનો વતની અને સુરત કતારગામ ખાતે રહીને હીરા ઘસતો દીક્ષિત રવજીભાઈ તરસરીયા ઉંમર વર્ષ 21 પોતાના મિત્રો સાથે ગઈ તારીખ 15 .11. 2023. ના રોજ વતન ભાવનગર ગયો હતો. દિવાળીનો તહેવાર મનાવીને ભાવનગરથી પોતાની જીજે 05 એલએફ 1650 નંબરની મોટરસાયકલ પર દીક્ષિત તેમજ તેનો મિત્ર સૌરવ કાકલોતર સુરત પરત થતા હતા ત્યારે ગતરાત્રિના 10:30 કલાકે કોસંબા નજીક સાવા ગામની હદમાં હાઇવે પર મોટરસાયકલ ચલાવતા દીક્ષિત ટ્રકને ઓવરટેક કરવા જતા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી અન્ય ટ્રકે પાછળથી દીક્ષિતની મોટરસાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે દીક્ષિતને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની સાથે સવાર સૌરવ કાકલોતરનો સામાન્ય ઈજા સાથે બચાવ થયો હતો. બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top