Vadodara

કારેલીબાગ બાદ હવે છાણીમા પણ ચૂંટણી બહિષ્કારના પાટીયા

વડોદરા: કારેલીબાગની 8 સોસાયટી ના લોકોએ ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો હતો આજે છાણી વિસ્તાર ની અવધ 4, રુદ્રાક્ષ, સિધેશ્વર, પુષ્પમ બંગ્લોઝના રહીશો ને પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે રહીશો માટે સોસાયટી ના આગેવાનોની મિટિંગ કરવા માટે નોટિસ બોર્ડ પર જણાવવા મા આવ્યું છે કે આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે વિધાનસભાની નો માહોલ છે એટલે આપણી પાસે એક સારી તક છે કે આપણે બધા ભેગા થઈ રોડ અને કોર્પોરેશનની સુવિધા માટે માંગ કરીએ તેથી થઈ આજે આપણે આજુબાજુના સિદ્ધેશ્વર અને રુદ્રાક્ષ ફ્લેટના રહીશો સાથે વાત થઈ તેઓ પણ આ માં આપણી સાથે જોડાવા તૈયાર હોય.

આજે સાંજે 9:00 વાગે સિધ્ધેશ્વર રુદ્રાક્ષ અને આપણે અવધના પ્રમુખો તથા મેમ્બરો હાજર રહી રાજકારણીઓ પાસે આપણે કેવી રીતે કામ કરાવવું અને જો કામ ન કરે તો આ તમામ ફ્લેટના રહીશો મત ન બહિષ્કાર કરી પોતાનો રોજ પ્રગટ કરશે તેવી ચીમકી આપતું પોસ્ટર આપેલ લટકાવીશું. તેથી અવધના તમામ પ્રમુખોને વિનંતી છે કે તેઓ 9વાગે પોતાનો ટાઈમ કાઢી હાજર રહે. જ્યારે ગત રોજ કારેલીબાગની આઠ સો.ના લોકોએ શાકભાજી માર્કેટ ના દબાણ મામલે ચૂંટણી બહિષ્કાર ની જાહેરાત બાદ પણ કોઈ પગલાં ન ભરાતા આજે સોસાયટી ના લોકો એ જયા શાક ભાજીમાર્કેટ ભરાય ત્યાં પોતાના વાહનો આડા અવળા પાર્ક કરી દીધા હતા. આગામી દિવસોમા આ પ્રશ્ન ન ઉકેલાય તો શાકભાજી વાળા અને સોસાયટી ના રહીશો વચ્ચે ઘર્ષણ થવાના એધાણ વર્તાઇ રહા છે.

Most Popular

To Top