Vadodara

વડોદરા : નટુભાઈ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પોલ સાથે લકઝરી બસ અથડાઈ, પોલ તૂટયો

વહેલી સવારે કામ અર્થે જતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી :

અકસ્માતમાં બસના ચાલકે મૌન સેવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી :

( પ્રતિનિધિ ),વડોદરા.તા.12

વડોદરાના નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે ટ્રાફિક સિગ્નલ સાથે અથડાતા અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ટ્રાફિક સિગ્નલ પોલ તૂટી પડ્યો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

વડોદરા : વડોદરા શહેરના હાલ વરસાદી માહોલ ટાણે અકસ્માતોના પણ બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સોમવારે સવારે આશરે 8:30 થી 9:00 કલાકની આસપાસ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. ત્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયગાળા દરમિયાન અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાઈ હતી સર્જાયેલા અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો.સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

જોકે કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી.જોકે ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.બીજી તરફ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે, આ અકસ્માત સર્જનાર લકઝરી બસના ચાલકે અકસ્માત અંગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે આ અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Most Popular

To Top