Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 63 કેસ : વધુ 3ના મોત

રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 13, જામનગર મનપામાં 11, સુરત મનપામાં 11, વડોદરા મનપામાં 11, કચ્છમાં 3, નવસારીમાં 3, વલસાડમાં 3, રાજકોટ મનપામાં 2, આણંદમાં 1, બનાસકાંઠામાં 1, ગાંધીનગર મનપામાં 1, પંચમહાલમાં 1, રાજકોટ ગ્રામ્યમા 1, વડોદરા ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે. વધુ 3 કોરોનાના દર્દીનું મૃત્યુ થયાં કુલ મૃત્યુઆંક 10,098 થયો. શુક્રવારે કોરોનાથી ભાવનગર ગ્રામ્ય, વલસાડ અને રાજકોટ મનપામાં 1-1 મૃત્યુ નોંધાયું છે. બીજી બાજુ 39 દર્દીઓ સાજા પણ થયા છે.

હાલમાં રાજ્યમાં 480 એક્ટિવ કેસ, 06 દર્દીઓ વેન્ટિલેટર પર અને 474 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ રાજ્યમાં વધુ 39 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,17,428 દર્દીઓ સાજા થયા છે. જેમાં 34 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,127ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 40,223ને પ્રથમ ડોઝ અને 3,65,818ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 15,107ને પ્રથમ ડોઝ અને 1,36,309 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 5,58,618 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,47,96,786 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top