National

પ્રજાસત્તાક દિન પર કોઇ મુખ્ય મહેમાન હાજર નહીં રહે

કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો: વિદેશ મંત્રાલય
1966 બાદ પહેલી વખત પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઇ પણ દેશના વડા હાજર નહીં રહે

ભારતના 72માં પ્રજાસત્તાક દિને આ વર્ષે કોઇપણ રાષ્ટ્રના વડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 55 વર્ષોમાં આ પહેલીવાર બનશે જ્યારે ભારતનો પ્રજાસત્તાક દિવસ મુખ્ય મહેમાન વિના ઉજવાશે.

આ વર્ષે ભારતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મુખ્ય અતિથિ બનાવ્યા હતા, પરંતુ કોરોનાથી તેમના દેશની કથળતી પરિસ્થિતિને કારણે તેમણે આ પ્રવાસ રદ કર્યો હતો. એવા સમયે જ્યારે આખું વિશ્વ કોરોના રોગચાળા લડી રહ્યું છે નવા દેશના વડા અથવા સરકારના વડાને આમંત્રિત કરવું એટલું સરળ ન હતું. આવી સ્થિતિમાં સરકારે મુખ્ય મહેમાન વિના આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

આ અગાઉ પણ 1966 માં, તાશ્કંદમાં ભારતના તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુને કારણે કોઈને આમંત્રણ અપાયું ન હતું. બંધારણીય જરૂરિયાતો અનુસાર, પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે વર્ષે ભારતે તેનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવ્યો હતો. દર વર્ષે પ્રજાસત્તાક દિન પર, કેટલાક રાજ્યના વડા અથવા રાષ્ટ્રના વડાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરા બંધારણના અમલીકરણથી શરૂ થઈ હતી. જો કે, ઘણા વર્ષો પછી કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ અપાયું ન હતું. વિશેષ વ્યૂહરચના હેઠળ, મુખ્ય અતિથિની ગણતરી માત્ર રાજકીય, રાજદ્વારી અને પરસ્પર સંબંધોના આધારે પ્રજાસત્તાક દિન પર કરવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top