Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ : રાજકોટમાં 5 વ્યક્તિ સંક્રમિત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. સોમવારે કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટ મનપામાં 5, અમદાવાદ મનપામાં 3, સુરત મનપા-ગ્રામ્યમાં 2, વડોદરા મનપામાં 2, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગીર સોમનાથ અને વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ભાવનગર મનપા, ગાંધીનગર મનપા, જૂનાગઢ મનપા, જામનગર મનપા અને 27 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

બીજી તરફ 17 દર્દીઓ સાજા થતાં થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે. અત્યાર સુધી કુલ 8,14,778 દર્દીઓ સાજા થયા છે. તેવી જ રીતે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સહેજ વધીને 209 થઈ છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે.

સોમવારે 18-45 વર્ષ સુધીના 3,30,282 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 29,199ને બીજો ડોઝ તેવી જ રીતે 240 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,970ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 1,24,969 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 61,461ને બીજો ડોઝ મળી કુલ 5,51,199 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top