Gujarat

ગુજરાતમાં રેકોર્ડ કોરોના કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી, આટલાં લોકો વેન્ટિલેટર પર

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સોમવારે નવા 1640 કેસ નોંધાયા છે તેમજ અમદાવાદ અને સુરત મનપામાં બે-બે વધુ મૃત્યુ સાથે કુલ 4 મૃત્યુ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4454 થયો છે. ગુજરાતમાં 1640 કેસો કોરોના મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધીના સૌથી વધુ છે. અગાઉનો રેકોર્ડ 1607નો હતો અને તે 27મી નવેમ્બરે નોંધાયા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોનાના કેસો ઘટીને 250ની નીચે ગયા હતા.

સોમવારે 1110 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,76,348 સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર દિવસે દિવસે ઘટતો જાય છે આજે સાજા થવાનો દર 95.74 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મંગળવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 481, સુરત મનપામાં 429, વડોદરા મનપામાં 139, રાજકોટ મનપામાં 126, ભાવનગર મનપામાં 23, ગાંધીનગર મનપામાં 19, જામનગર મનપામાં 22 અને જૂનાગઢ મનપામાં 9 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 54 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 7847 વેન્ટિલેટર ઉપર 73 અને 7774 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 32,73,493 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 6,03,693 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 38,78,186 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,22,186 વ્યકિતઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top