Charotar

સંતરામપુરમા એસટી બસે ત્રણ વાહનોને અડફેટે લીધા, પતિ- પત્નીના મોત



સંતરામપુરમા એસ ટી બસે બાઇક, એક્ટિવા અને તુફાન કારને અડફેટે લેતા અકસ્માત

સંતરામપુર બાયપાસ રોડ પર થયો અકસ્માત


સંતરામપુર બાયપાસ રોડ પર એસટી બસે બાઈક ચાલક સહિત એકટીવા અને તૂફાન જીપને અડફેટે લેતાં બાઈક પર સવાર પતિ પત્નીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં
સંતરામપુરમાં રહેતા મોહનભાઈ પુજાભાઈ પ્રજાપતિ તથા સવિતાબેન પ્રજાપતિનાં ઘટના સ્થળે મોત થવા પામ્યા હતા.
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને બચાવ કામગીરી કરી હતી.
આ અકસ્માતમાં સંતરામપુર તાલુકાના સગવડિયા ટીમલા ગામનાં રહેવાસી અન્ય 2 લોકો ને ઈજા થતાં ઈજાગ્રસ્ત બાબુભાઈ ડામોર અને તેમની નાની દીકરી હારવીબેન ડામોરને તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા તથા સંતરામપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ વિશે વધુ તપાસ હાથ ધરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
સંતરામપુર બાયપાસ પાસે આ અકસ્માત બનતાં સંતરામપુર નાં રહીશ મોહનભાઈ પ્રજાપતિ અને તેમના પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં નગરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ગ્રામજનો ટોળા ઘટના સ્થળે ઉમટી પાડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top