Madhya Gujarat

ચરોતરમાં મોડી સાંજે વરસાદી ઝાપટાં

નડિયાદ: નડિયાદ તથા આણંદ શહેરમાં મોડી સાંજે ૬.30 વાગ્યાના અરસામાં શરૂ થયેલ વરસાદ સતત ૨ કલાક ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના ગરનાળાઓ સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા. શહેરના માઈ મંદિર, વૈશાલી, શ્રેયસ ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત શહેરના વી.કે.વી રોડ, મહાગુજરાત, કિડની હોસ્પિટલ, વાણિયાવાડ, સંતરામ રોડ, ડુમરાલ બજાર, આઇ.જી. માર્ગ, શારદા મંદિર સ્કુલ, સલુણ બજાર સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Most Popular

To Top