Dakshin Gujarat

ઉંભેળ રહેતી પરિણીતાએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો

કામરેજ: ઉંભેળ (Umbhad) સારથી કોમ્પ્લેક્સમાં પરિણીતાનો (Married) પતિ વાપી ગયો ને પત્નીએ રૂમમાં સાડી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના દારાપુરના વતની અને હાલ સુરતના કામરેજના ઉંભેળ ગામ માં મુકેશ લાલબહાદુર ગુપ્તા રહે છે. જે ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી છે. અગાઉ સુરતના નવાગામ ડિંડોલી ખાતે માતા-પિતા સાથે રહેતો ત્યારે મુકેશને ઘરની પાછળ જ રહેતી એક સંતાનની માતા નેહા સાથે પ્રેમસંબંધ થઈ જતાં બંનેએ લગ્ન કરી લીધા બાદ ઉંભેળ ખાતે રહેવા માટે આવી ગયા હતા. એક માસ અગાઉ મુકેશ ઓફિસ કામ પતાવી ઘરે આવતાં પત્ની નેહા કોઈ સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરતી હોવાથી પતિએ પૂછપરછ કરી મોબાઈલ માંગતાં પત્નીએ ફોન આપવાની ના પાડી ફોનમાં રહેલા નંબર પણ કાઢી નાંખ્યા હતા.

પાડોસીએ પતિને ઘઠના અંગે જાણકારી આપી હતી
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે માતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ જતાં ફરી નેહા પતિ સાથે રહેવા માટે ઉંભેળ આવી ગઈ હતી. પતિ સાથે ચાર દિવસ ફરવા માટે પણ ગઈ હતી. બે દિવસ અગાઉ મુકેશ ટ્રાન્સપોર્ટના માલિકની સાથે વાપી ખાતે ગયો હતો. આખો દિવસ કામ પતાવી કડોદરાથી મોટરસાઈકલ લઈને ઘરે આવતા પાડોશમાં રહેતાં ગુડિયાદેવીએ મુકેશને ફોન કરીને જણાવ્યું કે, રૂમમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ નેહાએ આપઘાત કર્યો હોવાનું જણાવતાં ઘરે આવી પોલીસે જાણ કરતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top